સુરતથી 30 કિમી દૂર વીર નર્મદ યુનિવર્સિટીનું વૃક્ષારોપણ : કુલપતિ ડો. ચાવડાનું દીર્ઘદ્રષ્ટીપૂર્ણ પગલું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ આજે પોતાની કુનેહના દર્શન કરાવતા સુરતથી છેક ત્રીસેક કિમી દૂર આવેલા પોંસરા, જલાલપોર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધર્યો હતો.
સામાન્ય વાચકને જરૂર સવાલ થશે કે વીર નર્મદ યુનિવર્સિટીનો વૃક્ષારોપણ કાર્યક્રમ સુરતથી છેક ત્રીસ કિલોમીટર દૂર રાખવા પાછળનો આશય શું, હકીકતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જમીન પોંસરા ખાતે આવેલી છે અને વર્ષોથી આ જમીન બિલકુલ બિનઉપયોગી અવસ્થામાં છે. ડો.કિશોરસિંહ ચાવડાએ દીર્ઘદ્રષ્ટીથી નિર્ણય લઇને યુનિ.ની આ જમીન પર આ સીઝનમાં બરાબર વરસાદના આગમન પહેલા વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો. જેને કારણે આગામી વર્ષોમાં આ જમીન પર ઘટાદાર વૃક્ષો આકાર પામશે અને યુનિવર્સિટીની બિનઉપયોગી પડી રહેલી જમીનનો એક પ્રકારો સદુપપયોગ પણ થાય.
પોંસરા ખાતેની યુનિવર્સિટીની જમીન પર આજે વડ, પીપળો, લિમડો વગેરે જેવા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.
આજે વીર નર્મદ યુનિવર્સિટીના ઉપક્રમે જલાલપોર તાલુકાના પોંસરા ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ડો. કિશોરસિંહ ચાવડા, યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય શ્રી હસમુખભાઇ પટેલ, નવસારી સાયન્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યા શ્રી ફરીદાબેન, ઉપાચાર્ય ડો. અલ્કેશ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


