સંત વિભૂતિ અને શાસ્ત્રોના પ્રખર જ્ઞાતા સદગુરૂ શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાસજી તથા શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશદાસજી
દેવદર્શનાર્થે વડતાલ પધાર્યા હતા અને સાથે હીંડોળા મહોત્સવ પ્રદર્શન નિહાળી પ્રભાવિત થયા હતા.!!
—————————–—————-
સહાયક કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી
તથા Associate પૂજ્ય શ્યામવલ્લભ
સ્વામીએ બંને સંત વિભૂતિઓનું સ્વાગત
કર્યું હતું. દેવદર્શન કરાવ્યા બાદ શાસ્ત્રી
પૂજ્ય હરિપ્રકાશદાસજીને વ્હીલચેરમાં
બેસાડીને પૂજ્ય જ્ઞાનપ્રકાશ સ્વામી સાથે
હીંડોળા પ્રદર્શનમાં દોરી ગયા હતા.
વડતાલમાં યોજાયેલ પ્રથમ
હીંડોળા મહોત્સવની વિવિધ ઐતિહાસિક
કલાકૃતિઓ નિહાળી તેઓ પ્રભાવિત
થયા હતા અને આવા આયોજન બદલ
ડૉ.સંત સ્વામી તથા પૂજ્ય શ્યામ સ્વામીને
આશિર્વાદ સાથે અભિનંદન ધન્યવાદ
આપ્યા હતા. બંને સંત વિભૂતિઓએ
આધુનિક ભોજનાલયની પણ મુલાકાત
લીધી હતી અને પૂર્ણ સંતોષ વ્યક્ત
કર્યો હતો. શાસ્ત્રી પૂજ્ય હરિપ્રકાશદાજી
ગાંધીનગર સ્વામિનારાયણ ગુરુકૂળના
પ્રણેતા છે અને હાલ તેમની વય ૯૦
વર્ષની છે અને નાદુરસ્તીને કારણે તેઓ ચાર વર્ષ બાદ આજે પ્રથમવાર બહાર
આવી વડતાલધામમાં પધાર્યા હતા.!! શાસ્ત્રી પૂજ્ય જ્ઞાનપ્રકાશ
સ્વામી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન સમયના શ્રેષ્ઠ અને
વિદ્વાન સંત શિરોમણી વિદ્વતજન ભૂષણ અને સકળ શાસ્ત્રોના અર્થજ્ઞાતા છેઃ આમ
જોઇએ તો બંને સંતો સ્વામિનારાયણ
સંપ્રદાયના શાસ્ત્રોના પ્રખર વિદ્વાનો અને
વંદનીય સંતપુરુષો છેઃ
____________।। @ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર Vadtal
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944