CIA ALERT

ચારધામ યાત્રા શરૂ, 72 કલાક પહેલાનો કોરોના નેગેટીવ રિપોર્ટ હશે તો તમે પણ જઇ શક્શો

Share On :

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :