આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના લોકો માટે UPSCની હૅલ્પલાઇન શરૂ
આર્થિક રીતે નબળા અને પછાત વર્ગના સરકારી નોકરી ઇચ્છતા લોકો માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)એ ટૉલ ફ્રી હૅલ્પલાઇન શરૂ કરી છે.
હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧
દેશના બ્યુરોક્રેટ્સ, ડિપ્લોમેટ્સ અને પોલીસ અધિકારીઓ અને અન્ય પદો માટે યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસ માટેની તથા અન્ય સરકારી અધિકારીઓની નિમણૂક માટે પરીક્ષાઓ લેવામાં આવે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ હૅલ્પલાઇન સપ્તાહના બધા જ દિવસો દરમિયાન ઑફિસ અવર્સ દરમિયાન કાર્યરત રહેશે. ભારતને સ્વાતંત્ર્ય મળ્યાના ૭૫મા વર્ષની ઉજવણી નિમિત્તે સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરી રહી છે અને આ હૅલ્પલાઇન ઉજવણીના ભાગરૂપે શરૂ કરવામાં આવી છે. આ હૅલ્પલાઇનનો નંબર ૧૮૦૦૧૧૮૭૧૧ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


