CIA ALERT

સુરતીઓ અને GJ-5થી ઉભરાયા : સરદાર, સેલવાસ, સાપુતારા, શિરડી, સૌરાષ્ટ્ર અને સિંગાપોર !!

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 

સરદાર, સાપુતારા, સૌરાષ્ટ્ર, શિરડી, સિંગાપોર અને સુરત…આ તમામ સ મૂળાક્ષર પરથી શરૂ થતાં ટૂરિંગ ડેસ્ટિનેશન અને સુરત વચ્ચે હાલમાં ગજબનો નાતો બંધાયો છે. દિવાળીના તહેવારો પૂરા થયા અને શોખીન સુરતીઓ ઉમટી પડ્યા છે સરદાર પ્રતિમા જોવા માટે, મૂળ સુરતીઓ ઉમટી પડ્યા છે સાપુતારાની સહેલગાહે અને સુરતને કર્મભૂમિ બનાવનારા સૌરાષ્ટ્રવાસીઓ ઉમટી પડ્યા છે પોતાના વતન સૌરાષ્ટ્રમાં. પોતાની અનુકૂળતાઓ, દિવાળીની રજા અને બજેટ વચ્ચે સંતુલન રાખીને સુરતીઓ ફરવા ઉપડી ગયા છે. માલેતુજાર સુરતીઓ સિંગાપોર ભણી ઉપડ્યા છે.

ટૂંકમાં કહીએ તો સ મૂળાક્ષર પરથી નામ ધરાવતા તમામ ટૂરિંગ ડેસ્ટિનેશન પ્રત્યે હાલ સુરતીઓ આકર્ષાયા છે. પીવાના શોખીન સુરતીઓ આમ તો મામાના ઘરે એટલે દમણ પણ ઉમટ્યા છે પણ એના કરતા વધારે સરદારની વિશ્વભરમાં ઉંચી પ્રતિમા જોવા, સાપુતારાની સહેલગાહે, શિરડી, સેલવાસ વગેરે તમામ ડેસ્ટિનેશન શરૂ થઇ રહ્યા છે સ મૂળાક્ષર પરથી. દીવ-ગોવા, દહેરાદૂન, સિમલા વગેરે સ્થળોએ પણ સુરતીઓ ગયા છે પણ એટલી સંખ્યામાં નહીં કે જેટલી સંખ્યા સ પરથી શરૂ થતા ડેસ્ટિનેશન્સ પર જોવા મળે છે.

દિવાળી વેકેશનમાં સ્ટૅચ્યુ ઑફ યુનિટી બન્યું હૉટ ડેસ્ટિનેશન

સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા માટે સહેલાણીઓનો ધસારો : બે દિવસમાં ૪૦ હજારથી વધુ પ્રવાસીઓ ઊમટી પડ્યા : પ્રવાસીઓના ધસારાને જોઈને છેલ્લા બે દિવસથી એન્ટ્રી એક કલાક વહેલી શરૂ કરી દેવાઈ હતી.

statue

ખાસ કરીને સુરતી સહેલાણીઓ વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની પ્રતિમા તેમ જ તેમના જીવનને જાણવા બનાવેલું સરદાર પટેલ મ્યુઝિયમ, નર્મદા નદીના બન્ને કાંઠે બનેલી વૅલી ઑફ ફ્લાવર્સ, પ્રતિમા પર બનેલી વ્યુઇંગ ગૅલેરી, ડુંગરોની વચ્ચે ટેન્ટ સિટી ઉપરાંત નજીકમાં આવેલો નર્મદા નદી પર બનેલો સરદાર સરોવર ડૅમ સહિતનાં સ્થળોનો નજારો માણવા માટે ભારે ધસારો થયો હતો. જ્યાં જુઓ ત્યાં જી.જે.-5 પાસિંગની ગાડીઓની જ બોલબાલો જોવા મળી રહી છે. પાર્કિંગ માટે જગ્યા મળતી નથી, હોટેલ રેસ્ટોરેન્ટ ફૂલ હોય છે ત્યાં સુધી કે ચા કોફી માટે પણ વેઇટિંગ જોવા મળે છે.

સાપુતારાનું સેટિંગ જી.જે.-5 વાહનોએ ખોરવી નાંખ્યું

ભાઇબીજના દિવસથી સાપુતારા હિલ સ્ટેશન નહીં બલ્કે કોઇ બજાર હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે GJ-5 પાસિંગ નંબરના વાહનો તેમજ વલસાડ, વાપી, નવસારી, ભરૂચ પાસિંગના વાહનોથી સાપુતારામાં હાલ ચક્કાજામની સ્થિતિ જોવા મળી રહી છે. ગમે તેવી હોટલમાં નો-રૂમનું સ્ટેટસ છે. ઓવરનાઇટ સ્ટેના ઇરાદે આવતા લોકો એક દિવસની મોજ કરીને પરત ફરવું પડી રહ્યું છે. સાપુતારામાં ફરવા લાયક તમામ પોઈન્ટ ઉપર લોકોની ભીડ ઉમટી પડતાં ચારેકોર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાય છે. વાહનો પાર્ક કરવા માટેની જગ્યા પણ ખૂટી પડી છે અને પોલીસની હાજરી અપૂરતી જણાય રહી છે.

સાપુતારામાં પ્રવાસીઓની સાથે વાહનોની સંખ્યા પણ ખૂબ વધી ગઈ હતી. આનેલીધે અવ્યવસ્થા જેવી સ્થિતિ બની રહી છે. સાપુતારામાં સંખ્યાબંધ સ્થળએ કલાકો સુધી ચક્કાજામ જેવા હાલ થવા માંડ્યા છે.

એવું નથી કે સાપુતારામાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી છે, ડાંગ જિલ્લાના અન્ય સ્થળો જેવા કે કિલાદ કેમ્પ સાઈટ, બોટનીકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઈટ જેવા સ્થળોએ તેમજ રોડ સાઇટ પર જ્યાં સાઇટ સિંઇંગ જોવા મળે ત્યાં લોકો બેસીને ઉજાણી કરતા જોવા મળે છે.

શિરડી ઉપડ્યા પગપાળા યાત્રીકો

શિરડીવાલે સાઇ બાબાના ભક્તજનો દર ભાઇબીજના દિવસથી સુરતથી શિરડી પગપાળા આખો સંઘ ઉપાડતા હોય છે. 25થી લઇને 300 સુધીનો સંઘ પગપાળા ઉપડે છે. આ સંઘમાં મોટા ભાગે અસ્સલ સુરતીઓ જોડાતા હોય છે. શહેરના કોટ વિસ્તારમાંથી સૌથી વધુ લોકો પગપાળા શિરડી પ્રવાસે ઉપડે છે.

સેલવાસમાં રિલેક્સ થાય છે સુરતીઓ

પાછલા 3 વર્ષમાં સેલવાસમાં રિસોર્ટસથી લઇને હોટેલ્સની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. જેનું મુખ્ય કારણ છે સુરતીઓનો ટ્રાફિક, સુરતીઓ આમ તો ચાન્સ મળે કે વીકએન્ડ મળે એટલે સેલવાસ ભણી જતા રહે છે. આ વખતે પણ લોંગ વીકએન્ડનો યોગ સર્જાયો છે અને મોટા ભાગના સુરતીઓ શોર્ટ ટર્મ અને લૉ બજેટની ટૂર પર સેલવાસ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

સિંગાપોરમાં સુરતીઓની બોલબાલો

આમ તો આ વખતે સિંગાપોર જનારા સુરતીઓની સંખ્યા અન્ય ઇન્ટરનેશનલ ટૂરિંગ ડેસ્ટિનેશન્સ કરતા એટલા માટે વધુ છે કેમકે એક માર્કેટિંગ ચેઇન ધરાવતી કંપનીના સુરત સ્થિત 1500થી વધુ સ્ટાફને સિંગાપોરની ટ્રીપ પર લઇ જવાયા છે એથી વિશેષ હજીરાની એક ઇન્ડસ્ટ્રીઝે પણ તેમના કર્મચારીઓ માટે હોંગકોંગ સિગાપોર ક્રુઝ સમેતનું પેકેજ આપ્યું છે અને હજારો લોકો ત્યાં ઉપડી રહ્યા હોઇ, સિંગાપોરમાં સુરતીઓની આ વખતે ભારે બોલબાલા જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ઠલવાયું, વરાછા-કતારગામ-પૂણા

સુરતને કર્મભૂમિ બનાવનારા મૂળ સૌરાષ્ટ્રવાસી પરિવારો તો જેવું હીરા બજાર અને ટેક્સટાઇલ બજારે વેકેશન જારી કર્યુ ત્યારથી જ વતન સૌરાષ્ટ્ર ભણી રવાના થઇ રહ્યા છે. ઘણાં દિવાળી સુરતમાં મનાવીને વતન સૌરાષ્ટ્રમાં ઉમટી પડ્યા છે. આમ સુરતમાં વરાછા, કતારગામ, પૂણા, વેડરોડ, અમરોલી વગેરે વિસ્તારોમાં રહેતા સૌરાષ્ટ્રીયન પરિવારો હાલ સૌરાષ્ટ્રમાં રજાની મોજ માણી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :