22/3 Gujarat : 1585 નવા Corona કેસ : Surat 510
ગુજરાતમાં 24 કલાકમાં 1585 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 989 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રિકવરી રેટ પણ 95.90% થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 1585 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,75,238 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 95.90%એ પહોંચ્યો છે.
રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132 તેમજ રાજકોટમાં 130 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7250 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4450એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતાં. જ્યારે આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
