CIA ALERT

25/11 : કાલે દેવઉઠી અગિયારસ : માંગલિક કાર્યોનો આરંભ : ઘરોમાં યોજાશે તુલસી વિવાહ

Share On :

દેવઉઠી અગિયારસ એટલે કે આવતીકાલ બુધવારે શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

हिन्दी पंचांग के अनुसार, कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी तिथि को देवउठनी एकादशी होती है। इस साल कल 25 नवंबर को देवउठनी एकादशी व्रत रखा जाएगा इस दिन से भगवान विष्णु योग निद्रा से बाहर आते हैं और सृष्टि के पालनहार का दायित्व संभालते हैं। इस दिन भगवान विष्णु का शयनकाल समाप्त होता है। इस दिन व्रत का विशेष महत्व है।

આવતીકાલ તા.25મી નવેમ્બર 2020ને બુધવારે હિન્દુ પંચાંગ પ્રમાણે દેવઉઠી અગિયારસનો દિવસ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણું નિંદરમાંથી ઉઠે છે અને આ જ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં તુલસી વિવાહનો પણ ખૂબ મહિમા છે.

દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે. દેવઉઠી અગિયારસ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાદ કરીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :