આજે દિવાળી : બપોરથી બજારોમાં મુહૂર્તના સોદા

આજરોજ તા.14મી નવેમ્બરે સવારે કાળી ચૌદશ અને સાંજે છ વાગ્યાથી દિવાળીનું મૂહુર્ત છે. આથી આજે બપોર બાદ મોડી રાત સુધી ગુજરાતના વેપાર, વણજ ધંધા, રોજગારોમાં દિવાળીના શુકનના સોદા થશે.
ગુજરાતમાં દિવાળી અને લાભ પાંચમના દિવસે બજારોમાં શુભ મુહૂર્તમાં સોદા કરવાની વેપારીઓની પરંપરા આ વર્ષે પણ જળવાશે. કોરોનાને લીધે મોટા ભાગના વેપાર ઘંઘાને ભારે અસર થઈ છે.
ગુજરાતના ધંધારોજગારો, વેપાર વણજ ક્ષેત્રે ધંધામાં ચોપડાં પૂજનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. એ પછી વેપારીઓ ફટાકડાં ફોડીને દિવાળીની ઉજવણી કરશે.
આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણ અનુસાર આ દિવસે દીપદાન કરવું જોઈએ, તેનાથી તમામ પાપોનો નાશ થાય છે. એટલા માટે જ આ દિવસે દીવા પ્રગટાવવામાં આવે છે. દીવડાંની હારમાળાને કારણે જ તેને દીપાવલી (દીપ અવલી) કહેવામાં આવે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


