CIA ALERT

આજ(11/6/21)થી ગુજરાતમાં સોમનાથ સહિતનાં યાત્રાધામો ભક્તો માટે ખૂલ્યા

Share On :

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખૂલશે. સોમનાથ મહાદેવ મંદિર ૬૧ દિવસ બંધ રહ્યા બાદ ૧૧મી જૂનથી ભાવિકો દર્શન કરે એ રીતે શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર પણ આજે તા.૧૧મીની વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ અંબાજી મંદિર ૫૭ દિવસ બાદ ૧૨ જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે.

માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને પાવાગઢ મંદિર ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

કચ્છનું માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર ૧૧થી ભક્તોના દર્શન માટે શરૂ કરાયું છે. ભાવનગરના ખોડિયાર મંદિર ૧૧મીથી ખૂલ્યું છે તેમજ બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર ૧૫મી પછી ખૂલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર ૧૧મીથી ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :