CIA ALERT

vaccination Archives - CIA Live

January 4, 2022
cia_multi-1280x1045.jpg
1min656

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જાન્યુઆરીએ રાજ્યની તમામ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં આગામી તા.6 અને 7ના રોજ યોજાનારી દ્વિતિય એકમ કસોટીનો બીજો તબક્કો મુલતવી રાખવાની જાહેરાત કરી છે. સરકારી પરીપત્રમાં આ તારીખો 7 અને 8 દર્શાવવામાં આવી છે. શાળાઓમાં હાલ ચાલી રહેલા વેક્સીનેશનના કાર્યક્રમને અસર ન પહોંચે તે માટે પરીક્ષા મુલતવી રાખવામાં આવી હોવાનું કારણમાં જણાવાયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જણાવ્યું છે કે રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગઇ તા.3થી શરૂ કરીને તા.8મી જાન્યુઆરી સુધી દ્વિતિય એકમ કસોટી લેવાનું આયોજન છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવી રહ્યા છે. પરંતુ, હાલમાં 15 કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓનું વેક્સીનેશન શાળાઓમાં જ હાથ ધરવામાં આવ્યું છે. હાલ કોરોનાની વધી રહેલા કેસો જોતા બાળકોમાં વેક્સીનેશન થાય એ જરૂરી છે અને આ સંજોગોમાં જો શાળાઓમાં પરીક્ષાઓ યોજાશે તો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વેક્સીન નહીં મૂકાવે તેવો ભય હતો. આથી રાજ્ય સરકારના પરીપત્ર અનુસાર તા.7 અને 8 જાન્યુઆરીના રોજ લેવાનારી દ્વિતિય એકમ કસોટીની પરીક્ષાઓને જ મુલતવી રાખી દેવાનું એલાન કરી દીધું છે જેથી કરીને વેક્સીનેશનની કામગીરી ન ખોરવાય. હવે પછી આ પરીક્ષાઓની તારીખોનું એલાન કરવામાં આવશે.

December 11, 2021
vaccine-1.jpg
1min447

દેશની કુલ વસતિના પ્રમાણમાં કોરોનાની વૅક્સિનના બંને ડૉઝ લેનારાઓની સંખ્યાને મામલે ૩૧ ઑક્ટોબર ૨૦૨૧ના ભારત વિશ્ર્વમાં ૧૭મા સ્થાને હોવાનું આરોગ્ય ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન ભારતી પ્રવિણ પવારે શુક્રવારે લોકસભામાં જણાવ્યું હતું. 

લોકસભામાં એક લેખિત પ્રશ્ર્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું હતું કે ૮ ડિસેમ્બરના રોજ દેશના પુખ્તવયના અંદાજે ૯૩.૯ કરોડ લોકોમાંથી લગભગ ૧૩.૩ કરોડ લોકોએ વૅક્સિનનો પ્રથમ ડૉઝ પણ નહોતો લીધો. 

વૅક્સિનનો પ્રથમ ડૉઝ લેનારાં ૩૩.૬ કરોડ લોકોમાં ૧૭.૨ કરોડ પુરુષ અને ૧૬.૪ કરોડ મહિલાનો સમાવેશ થતો હતો. 
નાન્યતર જાતિના ૯૦,૦૦૦ લોકોએ હજુ વૅક્સિનનો બીજો ડૉઝ નથી લીધો. 

વૅક્સિનના બંને ડૉઝ લીધો હોય તેવા પાંચ કરોડ કરતા વધુ વસતિ ધરાવતા મુખ્ય ૧૦ દેશમાં દક્ષિણ કોરિયા, જાપાન, ઈટલી, ફ્રાન્સ, યુકે, જર્મની, યુએસએ, તુર્કી, બ્રાઝિલ અને મૅક્સિકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું. 

પુખ્તવયની વૅક્સિનને લેવા પાત્ર કુલ વસતિમાંથી ૫૩ ટકા લોકોએ બંને ડૉઝ લઈ લીધા હોવાનું તેમણે કહ્યું હતું.  રાજ્યો અને કેન્દ્રશાતિ પ્રદેશોને વૅક્સિનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.