CIA ALERT

UGC Archives - CIA Live

January 30, 2026
nirbhayasuprem.png
1min33

  • શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાની માર્ગદર્શિકામાં જ સવર્ણો વિરુદ્ધ ભેદભાવ
  • નવા નિયમોમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગ બાકાત, માત્ર એસસી-એસટી-ઓબીસી સામે ભેદભાવ થતો હોવાનો દાવો
  • નિયમો અસ્પષ્ટ, દુરુપયોગ થવાની પૂરી સંભાવના, ભાષા સ્પષ્ટ કરવા નિષ્ણાતોની નવી સમિતિ બનાવો : મુખ્ય ન્યાયાધીશ

UGC યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા દેશની કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજૂ કરાયેલા નવા નિયમોને ભેદભાવપૂર્ણ ગણાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ પર Dated 29/01/2026 સ્ટે મુકી દીધો છે. યુજીસીના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાને પ્રોત્સાહન નિયમ, ૨૦૨૬નો દેશભરના અનેક રાજ્યોમાં સવર્ણોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. આ નિયમોના અમલને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારવામાં આવ્યો હતો. આ મામલે થયેલી અરજીઓ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે યુજીસીના નવા નિયમો પર સ્ટે મૂકવાની સાથે કેન્દ્ર અને યુજીસીને નોટિસ ફટકારી હતી. સાથે જ આ મામલે વધુ સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. આથી હાલમાં ૨૦૧૨નો નિયમ લાગુ રહેશે.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ હોસ્ટેલની જોગવાઈનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ભગવાન માટે આવું ના કરશો. સુપ્રીમે આકરી ટીપ્પણી કરતા કહ્યું કે, યુજીસીના નવા નિયમના ૩(સી) (જે જાતિ આધારિત ભેદભાવને વ્યાખ્યાઈત કરે છે)ને સંપૂર્ણપણે અસ્પષ્ટ ગણાવ્યો અને તેનો દુરુપયોગ થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર અને યુજીસી પાસેથી જવાબ માગ્યો.

બેન્ચે ઉમેર્યું કે, નવા નિયમો સમાજનું વિભાજન કરતા જોખમી પરિણામો લાવી શકે છે. નવા નિયમોમાં ૩(સી) હેઠળની જોગવાઈમાં સંસ્થાકીય રક્ષણમાંથી સામાન્ય વર્ગને બાકાત રાખતી જાતિ-આધારિત ભેદભાવની બિનસમાવેશક વ્યાખ્યાને સમાજ માટે જોખમી ગણાવી હતી. બેન્ચે સવાલ કર્યો કે, ૩(ઈ) હેઠળ ભેદભાવની વ્યાખ્યા તમામ પ્રકારના ભેદભાવપૂર્ણ વર્તનની કાળજી લે છે ત્યારે નવા નિયમોમાં જાતિ આધારિત ભેદભાવોને અલગથી શા માટે વ્યાખ્યાઇત કરવામાં આવ્યો? અને રેગિંગ પર બિલકુલ ધ્યાન શા માટે આપવામાં આવ્યું નથી? સુપ્રીમે કહ્યું કે આ નિયમની ભાષા ફરીથી બદલવાની જરૂર છે.

યુજીસીના નવા નિયમોને સવર્ણો માટે ભેદભાવ પેદા કરનારા ગણાવી સોશિયલ મીડિયા પર વ્યાપક સ્તર પર વિરોધ શરૂ થયો હતો, જેને પગલે શાસક પક્ષ ભાજપની અંદરથી પણ નવા નિયમો સામે અવાજ ઉઠવા લાગ્યા હતા. સાથે નવી દિલ્હીથી લઈને રાજસ્થાનથી દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી સવર્ણોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તેમણે છેલ્લા કેટલાક દિવસોથી સરકાર અને યુજીસી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. આ દેખાવોના કારણે ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓએ પક્ષમાંથી રાજીનામાં પણ આપી દીધા હતા.

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના અધ્યક્ષપદે એક બેન્ચે આ કેસની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમે કહ્યું કે, જાતિવિહિન સમાજ બનાવવાની બાબતમાં આપણે જે પણ કંઈ મેળવ્યું છે તેને આપણે શું પાછળ છોડી રહ્યા છીએ? તેમણે નવા નિયમોમાં અલગ અલગ જાતિઓ માટે અલગ અલગ હોસ્ટેલની સૂચિત જોગવાઈ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું ભગવાન માટે આવું ના કરશો. આપણે બધા એક સાથે રહીએ છીએ. આંતર જાતીય લગ્નો પણ થતા હતા. ન્યાયાધીશ બાગચીએ પણ કહ્યું કે, ભારતમાં એકતા શિક્ષણ સંસ્થાઓમાં દેખાવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે યુજીસીના નવા નિયમોને અસ્પષ્ટ ગણાવ્યા હતા. બેન્ચે કહ્યું, પહેલી નજરે જ આ નિયમોની ભાષા સંપૂર્ણપણે અસ્પષ્ટ છે. તેનો દુરુપયોગ થઈ શકે છે. કોઈ એક્સપર્ટ રીમોડેલિંગની સલાહ આપી શકે છે. કેન્દ્ર અને યુજીસીને નોટિસ પાઠવતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સૂચન કર્યું કે, આ નિયમો પર જાણિતા કાયદાકીય નિષ્ણાતોની એક સમિતિ મારફત ફરીથી વિચાર કરવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ કેસની આગામી સુનાવણી ૧૯ માર્ચ પર મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કલમ ૧૪૨ હેઠળ તેની સત્તાઓનો ઉપયોગ કરી નવા આદેશો ના થાય ત્યાં સુધી યુજીસીના ૨૦૧૨ના નિયમોનો અમલ ચાલુ રાખવા જણાવ્યું હતું.

યુજીસીના વિવાદાસ્પદ નિયમમાં શું છે?

કોલેજ અને યુનિવર્સિટીમાં જાતિના આધારે થતા ભેદભાવ રોકવા માટે લવાયેલા નવા નિયમો હેઠળ સંસ્થાઓને એસસી-એસટી અને ઓબીસી વર્ગની ફરિયાદો સાંભળળા માટે વિશેષ સમિતિઓ અને હેલ્પલાઈન બનાવવાં પડશે. વિશેષરૂપે એસસી (અનુસૂચિત જનજાતિ), અનુસૂચિત જનજાતિ (આદિવાસી) કેટેગરી અને અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફરિયાદો માટે ઉકેલ લાવવાની માગ કરાઈ હતી. યુજીસીએ ૧૩ જાન્યુઆરીએ આ નિયમોને નોટિફાઈ કર્યા હતા. જોકે, આ નવા નિયમોમાંથી શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ મુદ્દે સવર્ણોને બાકાત રખાયા અને માત્ર એસસી, એસટી, ઓબીસી વર્ગ પર જ ભેદભાવ થતો હોવાનું ચિત્ર ઉપસાવ્યું.

January 27, 2026
image-14.png
1min57

UGCના નિયમોને લઈને સવર્ણોમાં આક્રોશ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી સોશિયલ મીડિયામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે દિલ્હીથી લઈને યુપી સુધી લોકો રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવી રહ્યા છે. આજે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના હેડક્વાર્ટર બહાર વિદ્યાર્થીઓ વિરોધ માટે એકત્રિત થયા હતા. આ સિવાય ઉત્તર પ્રદેશમાં પણ ઠેર ઠેર દેખાવોનું આયોજન કરાયું છે.

દેશભરની યુનિવર્સિટીઓમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ દૂર કરવા માટે સરકારે નવા નિયમ બનાવ્યા હતા. જેને લઈને વિરોધ થઈ રહ્યો છે. સવર્ણ સમાજનું કહેવું છે કે આ નિયમો એકતરફી અને અસ્પષ્ટ છે જેના કારણે તેનો દુરુપયોગ થવાની આશંકા છે.

UGCએ આદેશ આપ્યા છે કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રોકવા માટે SC, ST અને OBCના વિદ્યાર્થીઓ માટે 24/7 હેલ્પલાઈન નંબર, ઈક્વિટી સેન્ટર બનાવવામાં આવશે.

ભેદભાવની વ્યાખ્યા:

નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.

જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે.

કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી.

સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે.

ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે.

ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.

April 10, 2022
cia_edu-1280x925.jpg
1min672

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના તાજેતરના નિર્દેશો મુજબ, જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની (ઓનર્સ) ગ્રેજ્યુએટ  ડિગ્રી પૂર્ણ કરે છે તેઓ તેમના ઇચ્છિત પસંદગીના કોર્સમાં પીએચડી (ડોક્ટરેટ) ડિગ્રી મેળવવા માટે સીધી અરજી કરી શકશે. આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓને સંશોધન ઇકોસિસ્ટમમાં પ્રવેશવામાં બે વર્ષ જેટલો અમૂલ્ય સમય બચશે. ઓછા સમય તેઓ શિક્ષણ જગતની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી શકશે. અગાઉની સિસ્ટમ મુજબ, વિદ્યાર્થીઓએ પીએચડી કરતા પહેલા પીજી પૂર્ણ કરવા માટે બે વર્ષ ફાળવવા પડતા હતા. દિલ્હી યુનિવર્સિટી અને જેએનયુ જેવી કેન્દ્રીય યુનિવર્સિટીઓએ ભૂતકાળમાં એમફિલની ડિગ્રી રદ કરી છે.

આરપી તિવારી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબના વાઇસ ચાન્સેલર કહે છે, “ઓનર્સ ડિગ્રી એટલે કે ચાર વર્ષના ગ્રેજ્યુએશન પછી પીએચડી કરી શકાય એ સંદર્ભના યુજીસીના આ નિર્ણયથી ઉચ્ચ શિક્ષણ ઇકો સિસ્ટમમાં ફરજિયાત વિતાવવા પડતા વર્ષોની સંખ્યામાં ઘટાડો થશે. પીએચડી પૂર્ણ કરવા માટેનો લઘુત્તમ સમયગાળો પણ ત્રણથી ઘટાડીને બે વર્ષ કરવામાં આવ્યો છે. જો કે, પીએચડી પૂર્ણ કરવા માટે મહત્તમ વર્ષ છ વર્ષ તરીકે યથાવત છે.

અગાઉના નીતિ નિયમો મુજબ વિદ્યાર્થીઓએ ત્રણ વર્ષની સ્નાતકની ડિગ્રીનો અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કરવો પડતો એ પછી બે વર્ષની પીજી ડિગ્રી પાસ કરવી પડતી અને તે પછી જ તેઓ ડોક્ટરેટ ડિગ્રી મેળવવા માટે લાયક બનતા હતા. NEP 2020માં હિમાયત કરવામાં આવી છે કે ચાર વર્ષની સ્નાતકની ડિગ્રી ધરાવતા સ્નાતકોને પીએચડી પ્રોગ્રામ માટે સીધી અરજી કરવાની મંજૂરી આપવામાં આવે.

“વિદ્યાર્થીઓ ચાર વર્ષમાં UG ડિગ્રી મેળવશે તે જ્ઞાનનું પ્રમાણ આવશ્યક છે કારણ કે તે એક મજબૂત શૈક્ષણિક પાયો નાખશે. આનાથી વિદ્યાર્થીઓને ફાયદો થશે જ્યારે તેઓ ચાર વર્ષ પછી પીએચડી કરશે. સ્નાતકની ડિગ્રીનું ચોથું વર્ષ મુખ્યત્વે સંશોધન ક્ષેત્રને સમર્પિત છે, જે UG સ્તરે જ વિદ્યાર્થીઓને સંશોધનનું એક્સપોઝર આપશે. જો કે, વિદ્યાર્થીઓના એક વર્ગને લાગે છે કે તેઓને તેમની ચાર વર્ષની UG ડિગ્રીમાં સંશોધન ડોમેન માટે જરૂરી એક્સપોઝર મળ્યું નથી, તેમને PGમાં એક વર્ષ આગળ વધવાની અને પછી PhD પ્રોગ્રામમાં જોડાવાની છૂટ હોવી જોઈએ,” એમ આર.પી. તિવારી સમજાવે છે.

આ સિસ્ટમ વિવિધ શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સ્થાપિત સિસ્ટમ હોવી જોઈએ. આ નિર્ણયને લીધે, PG કોર્સમાં નોંધણી ઘટશે, પરંતુ તે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (GER) પર અસર કરશે નહીં,” તિવારી વધુમાં ઉમેરે છે.

અનિલ જોસેફ પિન્ટો, રજિસ્ટ્રાર, ક્રાઇસ્ટ યુનિવર્સિટી, બેંગ્લોર, કહે છે, “UGC દ્વારા લેવાયેલો નિર્ણય વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે, જેઓ તેમના 20 ના દાયકાની શરૂઆતમાં સંશોધનમાં સક્રિયપણે નોંધણી કરાવી શકે છે. સંશોધન ઇકોસિસ્ટમમાં વહેલા પ્રવેશવાથી, વિદ્યાર્થીઓને વધુ સારી પાયો મળશે.” જો કે, હવે મૂળભૂત અને સામાજિક વિજ્ઞાનના મોટાભાગના માસ્ટર પ્રોગ્રામ્સમાં નોંધણીમાં ઘટાડો જોવા મળશે. પિન્ટો ઉમેરે છે કે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની ટોચની યુનિવર્સિટીઓમાં આ પ્રકારની સિસ્ટમ અનુસરવામાં આવે છે.