CIA ALERT

Surat kiran hospital Archives - CIA Live

January 23, 2023
societynews-1280x1040.jpg
1min367

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

2016 સુધી કોઇ બિમાર હોય, ઓપરેશનની જરૂર પડે તો મોટા ભાગે એવું સંભળાતું કે મુંબઇની ફલાણી હોસ્પિટલમાં સારવાર માટે ગયા છે કે જઇ રહ્યા છે, પણ હવે મેડીકલ ટ્રીટમેન્ટ માટે મુંબઇ ગયા છે કે જવાના છે એવું સંભળાવાનું સાવ ઓછું થઇ ગયું છે. સુરતમાં અને ગુજરાતમાં હવે મેડીકલ ટ્રીટમેન્ટ જેવી જોઇએ તેવી ઉપલબ્ધ બની છે અને તેમાં પણ સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલે અત્યાધુનિક મેડીકલ સુવિધાઓ બિલકુલ ન્યૂનત્તમ દરે આપીને મોટી હોસ્પિટલની ગરજ સારી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકોને કિરણ હોસ્પિટલનો લાભ મળી રહ્યો છે. રવિવાર તા.22મી જાન્યુઆરીએ કિરણ હોસ્પિટલના ફેઝ-2નું ઉદઘાટન 6 રક્તદાતા મહિલા, પુરુષોના હસ્તે કરવામાં આવ્યું ત્યારે એક માઇલસ્ટોન એ પણ સર્જાયો કે કિરણ હોસ્પિટલ હવે 900 બેડ ધરાવતી ગુજરાતની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ બની છે.

સુરતના કતારગામ, સુમુલ ડેરી રોડ સ્થિત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ફેઝ-૨ અંતર્ગત ૩૫૦ બેડનો વધારો કરવામાં આવ્યો છે અને કુલ ૯૦૦ બેડની અત્યાધુનિક સુવિધાસજ્જ હોસ્પિટલ દર્દીઓની સેવામાં કાર્યરત થઈ છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રક્તદાતાઓના હસ્તે ફેઝ-૨ની તક્તી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે કિરણ હોસ્પિટલે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી હોસ્પિટલોમાં સ્થાન મેળવ્યું છે.

આ પ્રસંગે કલેક્ટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું હતું કે, હેલ્થકેર અને શિક્ષણક્ષેત્રે વાઈબ્રન્ટ વિકાસ થાય તે ખૂબ જ જરૂરી હોય છે. છેલ્લા ૧૦ વર્ષમાં સુરતનો ડાયમંડ, ટેક્સટાઈલ, સોફ્ટવેર, જ્વેલરી, લેબગ્રોન, એપરલ ગારમેન્ટ સહિતના દરેકક્ષેત્રે ફરણફાળ વિકાસ થયો છે. સાથોસાથ સુરતમાં મેડિકલ ટુરિઝમક્ષેત્રમાં વિશાળ તકો છે.

આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, દર્દીઓની સારવારમાં તબીબો પોતાનું સંપૂર્ણ યોગદાન આપી રહ્યા છે તેનું કિરણ હોસ્પિટલ જીવંત ઉદ્દાહરણ છે. દક્ષિણ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ એવા લોહીની જરૂરીયાતમંદ દર્દીઓને રોજનું ૩૦૦ બોટલ રક્ત નિઃશુલ્ક મળી રહેશે.

વધુમાં મથુરભાઈએ કહ્યું કે, ભારત સરકારના આયુષ્યમાન કાર્ડ અંતર્ગત કિરણ હોસ્પિટલમાં ૭૫ હજારથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળ્યો છે. દુનિયાના સૌથી મોંઘા અતિઆધુનિક મેડિકલ સાધનો કિરણની હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. આ સાથે તમામ પ્રકારના બોનમેરો, હાથનું ટ્રાન્સપ્લાન્ટ, કિડની, લીવર સહિતના ટ્રાન્સપ્લાન્ટ થાય છે.

નોંધનીય છે કે, કિરણ હોસ્પિટલના ફેઝ-૨ના ૩૫૦ વધુ બેડની તકતી અનાવરણ રક્તદાતાઓ પ્રફુલભાઈ ભજીયાવાલા, મેહુલભાઈ સોરઠીયા, પંકજભાઈ પુનેટકર, શ્રીમતી વિલાસબેન પટેલ, શ્રીમતી મણીબેન રાણા, શ્રીમતી કાજલબેન સાવલીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામાજિક અને ઉદ્યોગ અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકીયા, લાલજીભાઈ પટેલ, રવજીભાઈ મોણપરા, મનજીભાઈ લાખાણી, સુરેશભાઈ કુકડીયા, વલ્લ્ભભાઈ શેટા, રાજુભાઈ વાનાણી, રાજેશભાઈ મકવાણા, મેહુલભાઈ પંચાલ, જયેશભાઈ લાઠીયા, મગનભાઈ ડોબરીયા સહિત ટ્રસ્ટીઓ, સમાજશ્રેષ્ઠીઓ, તબીબો, રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

December 27, 2022
cia_multi-1280x1045.jpg
1min305

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દક્ષિણ ગુજરાત કે ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારતમાં તબીબી સેવા, સુવિધા ક્ષેત્રમાં ખૂબ જ ટૂંકાગાળામાં ખ્યાતિપ્રાપ્ત કરનાર સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલના દ્વિતીય ફેઝનું ઉદઘાટન આગામી તા.22મી જાન્યુઆરી 2023ના રોજ કરવામાં આવશે. ગુજરાતની જ નહીં પણ દેશની મોટામાં મોટી ગણાતી હોસ્પિટલો પૈકીની એક કિરણ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઉદઘાટન નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું હવે દ્વિતીય ફેઝનું ઉદઘાટન રક્તદાતાઓના હસ્તે કરવામાં આવશે એવી જાહેરાત કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ કરી છે. રક્તદાતાઓનું આવું સન્માન ભાગ્યે જ ક્યાંય મળી શકે…

Thumbnail image

સુરત શહેરના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલ કે જે હાલમાં 550 બેડની સુવિધા ધરાવે છે તેનું હવે એક્સપાન્શનની તમામ પૂર્વતૈયારીઓ આટોપી લેવામાં આવી છે અને આગામી 22મી જાન્યુઆરી 2023ના રોજ વધુ 350 બેડની હોસ્પિટલને લોકસમર્પિત કરવામાં આવશે. સેકન્ડ ફેઝનું ઉદઘાટન સુરત શહેરમાં બે કે તેથી વધારે વખત રક્તદાન કરનારા રક્તદાતાના હસ્તે કરવામાં આવશે એવુ કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણીએ જણાવ્યું હતું. રક્તદાન કરનારા લોકોના નામ નંબર મેળવવામાં આવશે તેમજ ત્રણ મહિલાઓ અને ત્રણ પુરૂષોના નામ લક્કી ડ્રો દ્વારા નક્કી કરવામાં આવશે.

કિરણ હોસ્પિટલ બ્લડ બેન્ક દ્વારા રકતદાતાઓના માનમાં દક્ષિણ ગુજરાતની કોઇપણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને વિના મુલ્યે બ્લડ આપવામાં આવે છે.

કિરણ હોસ્પિટલનો હેતુ દેશના લોકોને કવોલીટી સારવાર આપવાનો છે, પાછલા ૬ વર્ષમાં ૨૧ લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. સારવાર લેનાર દર્દીઓ ખૂબજ ખુશ થયા અને તેઓએ કિરણ હોસ્પિટલની ઉતમ સારવાર અન્ય લોકોને વારંવાર ધ્યાન ઉપર મુકી તેથી કિરણ હોસ્પિટલના તમામ વિભાગોમાં સારવાર લેનાર લોકોનો વર્ગ ખુબ મોટો થયો જેથી હોસ્પિટલની ૫૫૦ બેડની વ્યવસ્થા નાની પડવા લાગી તેથી ૩૫૦ બેડના વધારા સાથે ૯૦૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. સુરતની ધરતી ઉપર કદી નથી થયા તેવા ઓપરેશનો કિરણ હોસ્પિટલમાં થાય છે. કિરણ હોસ્પિટલના ૪૩ વિભાગો જટીલ બીમારીની સારવાર કરવા માટે સક્ષમ છે.

બે થી વધારે વખત રકતદાન કર્યુ હોય તેવા રકતદાતાઓએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
રજીસ્ટ્રેશન થયેલ રકતદાતાઓનો ડ્રો કરવામાં આવશે જે પૈકી 3 ભાઈઓ અને ૩ બહેનોના નામ સિલેક્ટ થશે.
સિલેક્ટ થયેલ રકતદાતાઓના વરદ્‌ હસ્તે હોસ્પિટલના બીજા ફેઝ નું આપનીંગ કરવામાં આવશે.
આપ રકતદાતા છો તો હોસ્પિટલ ઓપનીંગનું આ ઉતમ કાર્ય આપના વરદ હસ્તે પણ થઇ શકે તેમ છે તો આપ www.kiranhospital.com પર જરૂરથી રજીસ્ટ્રેશન કરાવશો.

February 18, 2022
kiran-logo.jpg
1min662

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના કતારગામ ખાતે આવેલી કિરણ હોસ્પિટલમાં હવેથી અનેક ઓપરેશન માટે આશીર્વાદ રૂપ બનેલી રોબોટીક સર્જરીની માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે. પ્રાઇવેટ હોસ્પિટલોમાં થતાં ખર્ચથી 50 ટકા ઓછા ખર્ચમાં કોઇપણ નાગરીક કિરણ હોસ્પિટલ ખાતેની આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.

સાઉથ ગુજરાતમાં સૌપ્રથમવાર વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલ સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે. કિરણ હોસ્પીટલમાં હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે. સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.

આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. ઘણા ઓપરેશનોમાં સર્જન ને ઊંડાણમાં રહેલા અમુક ભાગો સુધી પહોચીને કામ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે એવું કામ રોબોટ સરળતાથી કરી શકે છે.

રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.

વધુમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવ્યું હતું કે મલ્ટી ટાસ્ક રોબોટથી કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન જેમકે યુરોલોજી – મૂત્રાશય, પ્રોસ્ટેટ તેમજ કિડનીને લગતી સર્જરી, પેટ અને આંતરડા, લિવર, પિત્તાશય, હર્નિયા(સારણ ગાંઠ), બિરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી, સ્ત્રી રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ ખૂબ જ સરળતાથી ચોકસાઇ પૂર્વક કરી શકાઈ છે.

કિરણ હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં 16 લાખ લોકો જુદી જુદી આરોગ્ય સેવાઓનો લાભ લઇ ચૂક્યા છે

કિરણ હોસ્પિટલ દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલ અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પીટલમાં ઉપલબ્ધ થઈ છે.