CIA ALERT

SRK Archives - CIA Live

September 16, 2023
Cia_business_news-1280x936.jpg
1min715

યુક્રેન સરકારે ભારતમાં મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એક વૈશ્વિક ડાયમંડ કંપની, એસ.આર.કે. ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં સામેલ કરતા સમગ્ર વિશ્વના હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એસ.આર.કે. ડાયમંડ કંપનીની મુખ્ય મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે સુરતમાં છે ત્યારે સમગ્ર વિશ્વના મિડીયા અહેવાલોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની કંપનીની ભારે ચર્ચા શરૂ થઇ છે.

એક તરફ તાજેતરમાં જ મળેલી જી-સેવન દેશોની મિટીંગમાં રશીયન ઓરિજિન ડાયમંડને ટ્રેસ કરીને તેનો બહિષ્કાર કરવાની હાકલ થઇ છે ત્યારે યુક્રેન સરકારે ભારતની ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સરની યાદીમાં મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.

યુક્રેન સરકારના પ્રવક્તાએ સ્થાનિક મિડીયામાં જણાવ્યું હતું કે મુંબઇ બેઝ ધરાવતી ભારતની ડાયમંડ કંપની જેનું નામ એસ.આર.કે. ડાયમંડ કંપની છે, આ કંપની ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામકાજ કરે છે. યુક્રેનનો આક્ષેપ છે કે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ (એસ.આર.કે.)એ રશીયા પાસેથી 2021માં જેટલા જથ્થામાં રફ ડાયમંડ ખરીદ્યા હતા તેના કરતા 2023ના વર્ષમાં ત્રણ ગણા વધુ રફ ડાયમંડ્સ ખરીદ્યા છે. મિડીયા રિપોર્ટસમાં કહેવાયું છે કે એસ.આર.કે.એ 2023ના વર્ષમાં 132 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયમંડ ખરીદ્યા છે જ્યારે આ જ કંપનીએ 2021માં માત્ર 59 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયંમંડ્સ ખરીદ્યા હતા.યુક્રેન સરકારે ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં જે ભારતીય ડાયમંડ કંપની એસ.આર.કે.નો ઉલ્લેખ કર્યો છે એ કંપની સુરતની છે અને વિશ્વભરમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ગઇકાલે મધરાતથી આ સમાચાર વાયુવેગે મિડીયા માધ્યમોમાં પ્રસર્યા હતા જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

સુરત બેઝ ડાયમંડ કંપની SRKની સ્પષ્ટતાઃ SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે

રશિયા યુક્રેન વોર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી વૈશ્વિક લેવલે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપો થકી ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસોને અન્યાયી રીતે નિશાન બનાવ્યા છે. યુક્રેન યુદ્ધને ટેકો આપવાના તાજેતરના આક્ષેપો, જેમ કે યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ પરની રાષ્ટ્રીય એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકશાન પહોંચાડવાનો અને ભારતના હીરા ઉદ્યોગને કલંકિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની વ્યવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.

ડાયમંડ ઉધોગની સાથે SRKનું કાર્યક્ષેત્ર પણ હંમેશા પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ તેના સમગ્ર ઇતિહાસમાં કોઈપણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, છેલ્લા 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે.

વર્લ્ડ લેવલે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.

SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે

March 20, 2023
srk-1280x853.jpg
1min407

ભગવાન શ્રીરામના પરમભક્ત ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયાએ ડાંગમાં 311 હનુમાન મંદિરનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે ગત રવિવાર તા.19મી માર્ચે ડાંગમાં 11 હનુમાનજીના મંદિરનું લોકાર્પણ કર્યું

ડાંગ પ્રયાગ હનુમાન યાગ – હનુમાન મંદિર નિર્માણ યજ્ઞ પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વિશ્વવિખ્યાત ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટે ગુજરાતના ડાંગ જીલ્લામાં 311 હનુમાન મંદિરો બાંધવાના સંકલ્પ સાથે હનુમાનજી મંદિર નિર્માણ યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. પાંચમા તબ્બક્કામાં સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ઘાંગડી , ચીંચોડ, ચિખલદા , કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ અને કુન્દા ગામનાં 11 મંદિરોનો લોકાર્પણ સમારોહ 19 માર્ચ રવિવારે સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના કુમારબંધ ગામ ખાતે “જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્રી શ્યામશરણ દેવાચાર્યશ્રી (નિમ્બાર્કતીર્થ – કિશનગઢ, અજમેર)” ના અધ્યક્ષ સ્થાને રાખવામા આવ્યો હતો.

આ સમારોહમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, ડાંગના કલેક્ટર માનનીય ર્ડો. વિપિન ગર્ગ (IAS), મહેશ્વરી ભવન સમિતિના સચિવ શ્રી સુરેશ આર. તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સંસ્થાપક ટ્રસ્ટી શ્રી સુરેશચંદ્ર એસ. અગ્રવાલ, વધઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ શકુંતલાબેન એ. પવાર, ગુજરાત પ્રાંતીય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ સી. કાબરા (CA), નિમ્બાર્કતીર્થના શ્રી નટવર ગોપાલ છાપરવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડાંગ વિસ્તાર પ્રકૃતિની ગોદમાં પથરાયેલો છે જે જંગલ, ડુંગરા, ખીણ અને વિવિધ સાંસ્કૃતિક વારસાઓથી ભરપુર છે. ભગવાન શ્રી રામ અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી આ ભૂમિ દંડકારણ્ય તરીકે પણ જાણીતી છે. રામભક્ત હનુમાનજીને સમગ્ર ડાંગવાસીઓ ખૂબ જ મને છે. ડાંગમાં વસેલા આશરે સવા બે લાખ વનવાસીઓના જીવનની સામાજિક ચેતના માટે “ડાંગ પ્રયાગ હનુમાન યાગ” નામનો હનુમાન યગ્નપણ શરૂ કરવામાં આવ્યો છે. આ હનુમાનજી મંદિર બનાવવા પાછળની બીજી ભાવના એ પણ હતી કે આ મંદિર ભક્તિ, સેવા, સ્મરણ સાથે ગામજનોની એકતા, વ્યસનમુક્તિ અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે.

અત્યાર સુધી, ટોટલ 35 હનુમાન મંદિરોનું નિર્માણ 4 તબ્બક્કામાં સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. હજી બીજા 12 મંદિરો પણ પૂર્ણતાના અરે છે. એવું માનવમાં આવી રહ્યું છે કે, આવનારા 2 વર્ષમાં ઘણાખરા મંદિરોની પ્રતિષ્ઠા કરી દેવામાં આવશે.
ડાંગવાસીઓ ની એકતા જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિનું જતન પેઢી દર પેઢી થતું રહે તે હેતુથી આ મંદિરો બાંધવાની પહેલ શરૂ કરવામાં આવી હતી. દાનમાં ફક્ત એક વ્યક્તિ જ નહીં પરંતુ દરેક ગ્રામજનો કઇંકને કઇંક યોગદાન આપવું જરૂરી છે. જેટલા વધારે લોકો આ પહેલ સાથે જોડાશે, તેટલા વધુ પરિવારો આવા પછાત ગામો સુધી ટ્રાવેલ કરશે અને આ ગામો હજી વધારે વિકસિત થશે.

આ મંદિર નિર્માણ કાર્યમાં રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટની સાથે જે સંસ્થા અથવા વ્યક્તિ હોય તે 50% દાન આપીને સહભાગી થાય તેના નામની તકતી પણ લગાવવામાં આવે છે. મંદિર બાંધવા માટેની મુખ્ય રકમ વહેંચવામાં આવે છે જ્યારે સમગ્ર પ્રોજેકટનઉ સંચાલન SRK ટિમ દ્વારા કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિરનું સંપૂર્ણ સંચાલન ત્યાના ગામ લોકોને સોંપવામાં આવે છે.

રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી આદિવાસી એરિયામાં 100 જેટલા ડોક્ટર સાથે મેડિકલ કેમ્પ કરેલ છે. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં મેડિકલ સેવા, વસ્ત્રદાન, શૈક્ષણિક કીટ, બાળકો અને દરેકને જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓ પહોંચાડવાનું કામ તો થતું જ હોય છે પરંતુ તેની સાથે સાથે પેઢી દર પેઢી સુધી સંસ્કારો, ગામની એકતા અને આપણી સંસ્કૃતિ સચવાઈ રહે તે હેતુથી આ નિર્માણ યજ્ઞશરૂ કર્યો છે.

આ વિચારનું બીજ ક્યાથી આવ્યું?
ઓગસ્ટ 2017માં હું અને પી.પી. સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતાં હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી.
આં મુર્તિને જોઈ મે કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે આપણી સંસ્કૃતિને યોગ્ય ગણાય…?”
આં સાંભળીને પી.પી. સ્વામીજીનું હ્રદય દ્રવી ઉઠ્યું અને તેમણે કહ્યું કે, “ગોવિંદભાઇ, આ પરિસ્થિતી લગભગ આખા ડાંગ જીલ્લામાં છે…! કરવાની જરૂર ઘણી બધી છે… કેટલું થઈ શકે…? અને કોણ કરે…?”
ત્યારે મે પૂજ્ય પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે કહ્યું કે,”ભગવાને આપણને ઘણું બધુ આપ્યું છે, તો આપણાથી બની શકે તેટલી મદદ કરીને આ ડાંગ જીલ્લામાં મંદિર બનાવવા જોઇએ.” પી.પી. સ્વામીજી રાજી થઈ ગયા અને અમોએ ડાંગ જિલ્લાના આશરે 311 ગામમાં શક્ય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો છે.
અમે વિચાર્યું કે, આપણે એકલા બાનવશું તો કદાચ અભિમાન આવી જવાની શક્યતા છે. એટલે 50% ખર્ચ પેટે આપે તેઓનું સહયોગી તરીકે નામ આપી શકાય, જેથી આપણે સૌએ સાથે રહીને આ મંદિરો બનાવ્યા છે એવો ભાવ ઉભો થાય. તેથી આ પ્રમાણે દાતાઓના સહયોગથી મંદિર બનાવી રહ્યા છે.
આ મંદિરો ઈશ્વરની યોજના મુજબ અને ઈશ્વર ઇચ્છાથી જ બની રહ્યા છે….

  • ગોવિંદભાઇ એલ. ધોળકિયા
October 22, 2022
Cia_business_news-1280x936.jpg
1min503

જયેશ બ્રહ્મભટ્ટ 9825344944

સુરત સહિત સમગ્ર વિશ્વમાં વિખ્યાત હીરા કંપની, SRK એક્ષ્પોર્ટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કોવીડ કાળમાં આપેલું આત્મનિર્ભર ભારતનું સૂત્ર ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ગઇ તા.20મી ઓક્ટોબર 2022ના રોજ સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એસ.આર.કે. સ્પોર્ટસ પાર્કમાં SRK એક્ષ્પોર્ટના કર્મચારીઓ સાથે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ સ્નેહમિલન સમારોહમાં SRK એક્ષ્પોર્ટ તરફથી તેમના 1000 કર્મચારીઓને રૂફટોપ સોલાર સિસ્ટમ દિવાળી બોનસ તરીકે ભેંટ આપવામાં આવી હતી. SRK એક્ષ્પોર્ટમાં કુલ 6000 કર્મચારીઓ કાર્યરત છે, તેમને તબક્કાવાર સોલાર રૂફટોપની વહેંચણી કરવામાં આવશે.

SRK Exports કંપની તેના કર્મચારીઓને પરિવારના સભ્યો જ ગણે છે કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે ‘રીન્યુએબલ એનર્જી’ નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપે છે. SRK એક્સપોર્ટ્સના ફાઉન્ડર- ચેરમેન “શ્રી ગોવિંદકાકા” એ જણાવ્યું હતું કે, “SRK કંપની એ હંમેશાં સમાજ અને પર્યાવરણને કંઇક પરત આપવા પ્રયાસ કર્યા છે. કંપનીની વિચારધારાએ SRKને વૈશ્વિક સ્તરે વિશ્વાસપાત્ર અને સન્માનીય લીડર બનવા સક્ષમ બનાવી છે. સ્ટાફ મેમ્બર્સનું ટિમ વર્ક, સાથ- સહકારની ભાવના વગર આ સફળતા શક્ય બનતી નથી.”

SRK એક્સપોર્ટ્સના પાર્ટનર શ્રી જયંતી નારોલાએ જણાવ્યું હતું કે, “SRK હંમેશા તેના પરિવારના સભ્યો સાથે-સાથે પર્યાવરણની સુરક્ષા અને સલામતીને મહત્વ આપે છે. અને એટલે જ દિવાળીની ઉજવણીના પ્રસંગે કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને સિદ્ધિઓને બિરદાવવા આ ભેટ આપી રહ્યા છે.” SRK એક્સપોર્ટ્સની સમાજ કલ્યાણની શાખા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા ઓગસ્ટમાં આવી જ રીતે 750 શહીદ સૈનિકો અને બીજા વીર જવાનો (કોરોના વોરિયર્સ) ઘરે સોલર રૂફટોપ આપવાની જાહેરાત કરેલ અને ગોવિંદકાકાના વતન દુધાળા ગામને 100% સોલાર ઉર્જાથી સજ્જ કરી રહ્યા છે.

શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) વિશે: 
“શ્રી ગોવિંદકાકા” દ્વારા સ્થપાયેલ, SRK, વિશ્વના અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સ કરનાર કંપનીઓમાંની એક છે. 1.8 બિલિયન USD કરતાં પણ વધુ મૂલ્યવાન, SRK 6000થી પણ વધુ લોકોને રોજગારી પૂરી પડે છે અને છેલ્લા 6 દાયકામાં વૈશ્વિક ઈકોનોમીમાં ભારતે આપેલ યોગદાનમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.  એક મુખ્ય હેતુ જેને તે પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને મક્કમતા કહે છે તેના માટે પ્રતિબદ્ધ છે, SRKએ જેમ્સ અને જ્વેલરી ઉધ્યોગોને ESGનું પાલન કરવા પ્રાથમિકતા આપવા અને ભારતમાં ઝીરો એમીશન કેટલું જરૂરી છે અને ઝડપથી ત્યાં પહોંચવા કયાં  પગલાં લેવા જોઇએ  તેની માહિતી અને સમજ  પહોંચાડવા મહત્તમ પ્રયાસ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે ISO, સિસ્ટમ અને પ્રોસેસનાં  પ્રમાણપત્રો ધરાવતી કંપની SRK છે. વધુમાં તેના નફાના 4.5%થી પણ વધુ હિસ્સો SRK તેની વિવિધ CSR પ્રવૃત્તિઓ અને સમાજ કલ્યાણનાં કાર્યો માટે વાપરે છે. ગોવિંદકાકા હંમેશા સૌને સાથે રાખીને માનવ કલ્યાણ માટે અને સામાજિક ઉત્કર્ષ માટે સતત પ્રવૃત્તિશીલ રહે છે. સમાજમાં ટકાઉ વિકાસ  થાય એ એમની કાયમી ચિંતા હોય છે.