CIA ALERT

kamalam Archives - CIA Live

March 11, 2022
narendra-modi.jpg
1min431
વડાપ્રધાન મોદીએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું

યુપીની વિધાનસભા ચૂંટણીમાં મોટી જીત મેળવ્યા બાદ આજે પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતમાં પણ 2022માં ચૂંટણી યોજાવાની છે ત્યારે એક રીતે પીએમ આજે ભવ્ય રોડ શો કરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો આરંભ કરી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધી થનારા આ રોડ શોમાં રસ્તાની બંને તરફ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો પણ પીએમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત સાથે વર્ષના અંતે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ માહોલ તૈયાર કરવા માંગે છે. PMના આગમન સાથે વિશાળ રોડ શો અને ત્યારબાદ સાંજે 2 લાખ જેટલા ચૂંટાયેલા પંચાયત પ્રતિનિધિઓની મેગા રેલી પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજીને ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વગાડશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના બીજેપી હેડક્વાર્ટરમાં શુક્રવારે બપોરે અનેક જુદી જુદી ચર્ચાઓ અને બેઠકો યોજાશે. કારણ કે પીએમ મોદી રાજ્યમાં ભાજપની સરકારના અવિરત 24 વર્ષના લાંબા કાર્યકાળ પછી પણ ગુજરાતમાં સત્તા જાળવી રાખવા માટે પાર્ટીની વ્યૂહરચના તૈયાર કરશે. PM મોદી આ માટે આજે CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના મંત્રીઓ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને અન્ય ટોચના પદાધિકારીઓ સાથે બેઠક કરશે અને રાજ્યમાં પાર્ટીને વધુ એક જીત અપાવવા માટે પાર્ટીના ટોચના નેતાથી લઈને અદના કાર્યકર સુધીની તમામ મશીનરીને દોડતી કરવાની શરૂઆત કરશે.

December 21, 2021
gopal.jpg
1min573

તા.20મી ડિસેમ્બર 2021ને સોમવારે બપોરે અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોફન મચાવવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ તથા કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. એ પછી ભાજપાએ પોલીસની મદદથી આપના તોફાનીઓને એવા ભગાડ્યા હતા કે ધમાચકડીમાં અનેકને માર પણ પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આપના નેતા ઈસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી. હવે આ મામલો ઝડપથી સૂલઝે એમ જણાતો નથી

આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈસુદાન ગઢવી નશાની હાલતમાં હતા. પોલીસે ઈસુદાનની અટકાયત કરી હતી અને ટેસ્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.

બાદમાં પોલીસે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર અને નિખીલ સવાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે બિનજામીન પાત્ર કલમ પણ ઉમેરી છે.

ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન નશાની હાલતમાં હોવાનો દાવો કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ આક્ષેપોને AAPના નેતાને બદનામ હોવાનું કાવતરું હોવાનો દાવો કરતા આ આક્ષેપોને ફગાવી દેવાયા હતા.