CIA ALERT

IIT Delhi Archives - CIA Live

August 29, 2025
SS_Logo_Red-1280x986.png
2min112

12 PCMમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે શેર કરવા જેવા સમાચાર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT બોમ્બે) JEE એડવાન્સ્ડ ટોપર્સ માટે સૌથી પહેલા નંબરની અને સૌથી વધુ પસંદગીની સંસ્થા રહી છે, જ્યારે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સને આકર્ષવામાં બીજા નંબરે રહેલી IIT દિલ્હી આ વર્ષે ટોચના 100 રેન્કર્સનો નોંધપાત્ર હિસ્સો આકર્ષવામાં બીજા ક્રમે છે. જોકે, NIRF મુજબ દેશની ટોચની ક્રમાંકિત એન્જિનિયરિંગ સંસ્થા IIT-મદ્રાસમાં ટોચના 100 ઉમેદવારો પૈકી ફક્ત ફક્ત છ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ લીધો છે.

અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડ ટોપર્સમાં ખાસું એટ્રેક્શન ઉભું કર્યું છે તેમાં IIT ખડગપુર (ટોચના 5000 JEE એડવાન્સ્ડ 2025 રેન્ક ધારકોમાં 517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 ને આકર્ષ્યા છે.

જોઇન્ટ સીટ એલોકેશન ઓથોરિટી (JoSAA) દ્વારા જાહેર કરાયેલા કાઉન્સેલિંગ ડેટા અનુસાર, JEE એડવાન્સ્ડ 2025 ના ટોચના 100 રેન્કર્સમાંથી 73 વિદ્યાર્થીઓએ IIT બોમ્બેને પસંદ કરી છે, 2023 માં આ આંકડો 67 અને 2024 માં 72 હતો તેનાથી સતત અપટ્રેન્ડ દર્શાવે છે.

IIT દિલ્હી, જેણે બીજા નંબરે સતત પોતાનું આકર્ષણ જાળવી રાખ્યું છે, તેણે 2025 માં ટોચના 100 માંથી 19 વિદ્યાર્થીઓને સુરક્ષિત કર્યા. 2024 માં સંસ્થા પસંદ કરનારા 23 અને 2023 માં 22 કરતા ઓછા હોવા છતાં, IIT દિલ્હી છેલ્લા પાંચ વર્ષોમાં ટોચના રેન્કર્સ માટે સ્પષ્ટ બીજી પસંદગી રહી છે, જે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 19 થી 32 ઉમેદવારોને આકર્ષે છે.

IIT મદ્રાસ પર પસંદગીનો કળશ ઢોળવામાં જેઇઇ એડવાન્સ્ડ 2025ના ટોચના 100 ઉમેદવારોની સંખ્યામાં વધઘટ નોંધાઇ રહી છે. આ વર્ષે,100 ટોપર્સમાંથી માત્ર 6 રેન્કર્સે ચેન્નાઈ સ્થિત આઇઆઇટી મદ્રાસ માટે પસંદગી કરી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે – જે 2024 માં ફક્ત બે હતી.

ડેટા દર્શાવે છે કે IIT બોમ્બેનું વર્ચસ્વ 2020 થી મજબૂત બન્યું છે, જ્યારે ટોચના 100 રેન્કર્સમાંથી 58 દ્વારા તેની પસંદગી કરવામાં આવી હતી. તેનો હિસ્સો દર વર્ષે સતત વધતો ગયો છે, 2024 અને 2025 બંનેમાં 70 નો આંકડો વટાવી ગયો છે.

આ દરમિયાન, IIT દિલ્હીએ સતત બીજા ક્રમની સૌથી વધુ પસંદગીની સંસ્થા તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે, છેલ્લા છ વર્ષમાં સંખ્યા 19 થી 32 ની વચ્ચે રહી છે.

IIT મદ્રાસ એક દૂરની ત્રીજી પસંદગી રહી છે, જે દર વર્ષે ટોચના 100 માં બે થી આઠ વિદ્યાર્થીઓને આકર્ષે છે.

ડેટા IIT બોમ્બે અને IIT દિલ્હી માટે ટોપર્સમાં સ્પષ્ટ પસંદગી દર્શાવે છે, જ્યારે IIT મદ્રાસ જેવા અન્ય IIT સતત વધારો કરી રહ્યા છે.

ટોચના 5000 JEE એડવાન્સ્ડ રેન્કર્સના વ્યાપક પૂલમાં, IIT બોમ્બેનું વર્ચસ્વ ચાલુ રહે છે, 755 વિદ્યાર્થીઓએ સંસ્થા પસંદ કરી છે. IIT દિલ્હી 577 વિદ્યાર્થીઓ સાથે બીજા ક્રમે છે, જ્યારે IIT મદ્રાસે 478 વિદ્યાર્થીઓ મેળવ્યા છે, જે ત્રીજા ક્રમે સૌથી વધુ પસંદગીની પસંદગી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરે છે.

અન્ય IITs જેમણે જેઇઇ એડવાન્સ્ડના પ્રથમ 5000 ટોપર્સમાં નોંધપાત્ર આકર્ષણ જમાવ્યું છે તેમાં IIT ખડગપુર (517 વિદ્યાર્થીઓ), IIT કાનપુર (448), IIT રૂરકી (429) અને IIT હૈદરાબાદ (222)નો સમાવેશ થાય છે. નવી IITsમાં, IIT BHU વારાણસીએ 258 ટોચના 5000 રેન્કર્સ, IIT ગુવાહાટી 305 અને IIT ઇન્દોરે 109 વિદ્યાર્થીઓને આકર્ષ્યા છે.

કેટલીક સંસ્થાઓએ ટોચના રેન્કર્સનું મર્યાદિત પ્રતિનિધિત્વ મળ્યું છે તેમાં IIT ભુવનેશ્વરે 43, IIT જોધપુર 63 અને IIT રોપર 120 વિદ્યાર્થીઓ મેળવ્યા. IIT જમ્મુ (4), IIT ભીલ્લાઈ (2), IIT ગોવા (3), IIT પલક્કડ (1) અને IIT ધારવાડ (1) જેવી કેટલીક સંસ્થાઓએ ફક્ત એક-અંકનું પ્રતિનિધિત્વ જોયું.

૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ પ્રકાશિત થયેલા IIT કાનપુરના અહેવાલ મુજબ, JEE એડવાન્સ્ડ ૨૦૨૫ માટે તમામ સાત ઝોનમાંથી ૧,૮૭,૧૧૩ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી – હૈદરાબાદ ઝોનમાંથી ૪૫,૬૨૨ વિદ્યાર્થીઓ; બોમ્બે ઝોનમાંથી ૩૭,૦૦૨ વિદ્યાર્થીઓ; અને દિલ્હી ઝોનમાંથી ૩૪,૦૬૯ વિદ્યાર્થીઓ. IIT-કાનપુરે આ વર્ષે JEE એડવાન્સ્ડનું આયોજન કર્યું હતું.

નોંધણી કરાવનારાઓમાં,
હૈદરાબાદ ઝોનમાંથી ૧૨,૯૪૬ (૨૮.૩૭ ટકા) વિદ્યાર્થીઓ;
બોમ્બે ઝોનમાંથી ૧૧,૨૨૬ (૩૦.૩૩ ટકા) અને
દિલ્હી ઝોનમાંથી ૧૧,૩૭૦ (૩૩.૩૭ ટકા) વિદ્યાર્થીઓએ JEE-એડવાન્સ્ડ પરીક્ષા પાસ કરી હતી.

દિલ્હી ઝોનમાંથી કુલ ૪,૧૮૨ વિદ્યાર્થીઓ અથવા JEE-એડવાન્સ્ડ પાસ કરનારા ૩૬.૭૮ ટકા વિદ્યાર્થીઓને IIT માં પ્રવેશ મળ્યો, જે કોઈપણ ઝોન માટે શ્રેષ્ઠ રૂપાંતર દર છે.

હૈદરાબાદ ઝોનમાં ૪,૩૬૩ (૩૩.૭ ટકા) સાથે પ્રવેશની સૌથી વધુ સંખ્યા હતી. બોમ્બે ઝોનમાંથી કુલ ૩,૮૨૫ વિદ્યાર્થીઓ, રૂરકી ઝોનમાંથી ૧,૭૨૯, કાનપુર ઝોનમાંથી ૧,૬૨૨, ખડગપુર ઝોનમાંથી ૧,૬૫૫ અને ગુવાહાટી ઝોનમાંથી ૮૧૨ વિદ્યાર્થીઓ IIT માટે પસંદ થયા છે.