CIA ALERT

Gujarat board students Archives - CIA Live

June 4, 2022
cia_edu-1280x925.jpg
4min1115

ધો.12 કોમર્સનું 86.01% પરીણામ: ગુજરાતમાં પહેલી વખત બન્યું: 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ!!

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે તા.4 જૂને ધો.12 સામાન્ય પ્રવાહનું પરીણામ 86.91 ટકા જેટલું ઉદાર આપ્યું છે. પરીણામને જોતા જ શિક્ષણશાસ્ત્રીઓએ એક સૂરમાં કહ્યું કે કોરોના સમયગાળામાં 11-12 કોમર્સ બે વર્ષના અભ્યાસ પૈકી દોઢ વર્ષ ઓનલાઇન અભ્યાસ કરીને 12 સામાન્ય પ્રવાહમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ લાઇફમાં કંઇક બનવા માટે સ્પેશયલ કરવું પડશે.

આદિવાસી જિલ્લા ડાંગનું પરીણામ તમામ જિલ્લાઓમાં સૌથી વધુ

ગુજરાતના ઓવરઓલ પરીણામની વાત કરીએ તો કુલ 3.35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 2.91 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગના સુબિરનું પરીણામ 100 ટકા આવ્યું છે. જે સમગ્ર રાજ્યના 488 પરીક્ષા કેન્દ્રોમાં સૌથી વધુ છે. સમગ્ર ડાંગ જિલ્લામાં એકપણ વિદ્યાર્થી એ-વન ગ્રેડમાં સ્થાન પામ્યો નથી પણ હકીકત એ પણ છે કે આ કેન્દ્રમાંથી પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા સમગ્ર રાજ્યમાં 100 ટકા પરીણામ ધરાવતું કેન્દ્ર સુબિર બન્યું છે અને સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પરીણામ ધરાવતો જિલ્લો પણ ડાંગ બન્યો છે. ડાંગનું પરીણામ 95.41 ટકા આવ્યું છે. સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓ સુરત શહેર જિલ્લાના છે. આ જિલ્લામાંથી 643 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. સુરત પછી રાજકોટમાંથી 402 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણા મેળવ્યું છે.

છોકરાઓ કરતા છોકરીઓ વધુ પાસ થઇ

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2022માં ઇતિહાસ રચાયો છે. બોર્ડમાં પહેલી વખત એવું નોંધાયું છે કે છોકરાઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા વધુ છે. સમગ્ર રાજ્યમાંથી કુલ 1,42,904 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેની સામે 1,45,760 વિદ્યાર્થિનીઓ પાસ થઇ છે. સામાન્ય પ્રવાહના ત્રણેય વિભાગમાં ઓવરઓલ પરીણામ પર નજર કરીએ તો 1,44,198 છોકરાઓ સામે 1,47,089 છોકરીઓ પાસ થઇ છે.

સુરત શહેર જિલ્લાનું પરીણામ 87.52 ટકા

સુરત શહેર જિલ્લાનું ધો.12 કોમર્સનું પરીણામ 87.52 ટકા આવ્યું છે. સુરત શહેર જિલ્લામાંથી 38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 643 એ-વન ગ્રેડ, 4382 એ-ટુ ગ્રેડ, 7521 બી-વન ગ્રેડ, 8995 બી-ટુ ગ્રેડ, 8128 સી-વન ગ્રેડ, 3813 સી-ટુ ગ્રેડ અને 255 વિદ્યાર્થીઓ ડી ગ્રેડમાં પાસ થયા છે.

સુરતમાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સે ઇતિહાસ રચ્યો, 209 A-1 Grade – CiA Live News Web…

ગુજરાતના ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં સુરતની આશાદીપ સ્કુલના પરીણામે ન ભૂતો ન ભવિષ્યતિ પરીણામ હાંસલ કર્યું છે. સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડની બોલબાલા ચાલી રહી છે. આવી સ્થિતિમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના 205 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી લાવ્યા છે. આ પરીણામનો તુલનાત્મક અભ્યાસ કરીએ તો ગુજરાતના કુલ 31 જિલ્લાઓમાં સુરત અને રાજકોટના બાદ કરતા બાકીના તમામ 31 જિલ્લાઓ અને બે કેન્દ્ર શાસિત પ્રદેશ આ બધાના એ-વન ગ્રેડ કરતા સુરતની એક જ શાળા આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાંથી કુલ 2092 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે તેમાંથી એકલા 10 ટકા જેટલો હિસ્સો આશાદીપ કોમર્સ ભવનના વિદ્યાર્થીઓનો છે. www.cialive.in

સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડના લાવનાર વિદ્યાર્થીઓ કઇ શાળાના છે તેનું લિસ્ટ www.cialive.in

શાળાનું નામ- CiA Liveવિસ્તાર- CiA Liveએ-વન ગ્રેડ            CiA Live
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સવરાછા209
મૌની અંકુર સ્કુલએકે રોડ33
સંસ્કારભારતી વિદ્યાલયઅડાજણ18
એલપીડી હાઇસ્કુલપૂણા09
ભૂલકાભવનઅડાજણ08
ઉમરીગર સ્કુલઉમરા08
ભૂલકા વિહાર સ્કુલપાલ07
જીજી ઝડફીયા સ્કુલએ.કે. રોડ07
આઇ એન ટેકરાવાલાપાલનપુર પાટીયા06
પ્રેસિડેન્સી સ્કુલઅડાજણ06
એસ્પાયર સ્કુલમોટા વરાછા06
પ્રેરણા વિદ્યાલયપૂણાગામ05
નોબલ પબ્લિક સ્કુલપૂણા05
સ્વામીનારાયણ ગુરુકુળસિંગણપોર04
ઉત્તર ગુજરાત કેએસકેપીભટાર રોડ03
દિપદર્શન વિદ્યાસંકુલડીંડોલી03
વનિતા વિશ્રામ ગર્લ્સ સ્કુલઅઠવાલાઇન્સ03
એચએમબી સરદાર સ્કુલપાલનપુર પાટીયા02
લિયો સ્કુલ ઓફ કોમર્સઉધના02
સદભાવના સ્કુલપૂણા02
જીવનભારતીનાનપુરા02
વિશ્વભારતી ગર્લ્સ સ્કુલકામરેજ02
લીલાબા કન્યાશાળાલાલદરવાજા01
સરસ્વતિ વિદ્યાલયઅડાજણ01
વિદ્યાનિકેતન હાઇસ્કુલઅમરોલી01
રિવરસાઇડ સ્કુલડિંડોલી01

જો આપની કોઇ સ્કુલના બાળકો ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં એ-વન ગ્રેડ લાવ્યા હોય તો તેની માર્કશીટ અમને 98253 44944 વ્હોટએપ પર મોકલી શકો જેથી અમે ઉપરોક્ત લિસ્ટને અપડેટ કરી શકીએ.

March 16, 2022
basic.jpg
1min583

28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.

ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.

જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.

સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે. 

A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.​​​​​​​
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.

March 7, 2022
cia_edu-1280x925.jpg
1min545

ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.

ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500

February 23, 2022
cia_edu-1280x925.jpg
1min452

Jayesh Brahmbhatt 98253 44944

શીખવાની ખોટ એ બે વર્ષના રોગચાળાના સૌથી ચર્ચિત પરિણામોમાંનું એક હોઈ શકે છે પરંતુ ગુજરાતમાં બીજી મોટી ખોટ નોંધાઈ છે. ગયા વર્ષ 2021ની ગુજરાત બોર્ડની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ આ વર્ષે આગામી માર્ચ 2022માં લેવાનારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં 5 લાખ 80 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઇ છે.

2021માં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે કુલ 14 લાખ 3 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તમામને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે 2022માં આગામી માર્ચમાં લેવાનારી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 9 લાખ 72 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ ધો.10માં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં 4.31 લાખનો ઘટાડો નોંધાયો છે.

એના પણ આગલા વર્ષે 2020માં કોરોના પેન્ડેમિકની શરૂઆત વખતે ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 11 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ નોંધાયા હતા.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 2021માં નોંધાયેલા 5.42 લાખ વિદ્યાર્થીઓની સામે આ વર્ષે માર્ચ 2022ની પરીક્ષા માટે કુલ 4.26 લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા છે. આમ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 1.16 લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.

ધો.12  વિજ્ઞાન પ્રવાહમાં 2021માં નોંધાયેલા 1.4 લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 1.07 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 33,000 ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે.

નિષ્ણાતો માને છે કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો મોટો ઘટાડો અભૂતપૂર્વ છે. મુખ્યત્વે, તેઓ નોંધપાત્ર ઘટાડા પાછળના બે કારણો ટાંકે છે – વિદ્યાર્થીઓએ રોગચાળા દ્વારા પ્રેરિત નાણાકીય અને સામાજિક મુશ્કેલીઓને કારણે શાળાઓ છોડી દીધી હતી અને કોવિડ -19 ના બીજા તરંગ પછી બોર્ડના વિદ્યાર્થીઓને સામૂહિક પ્રમોશન આપવામાં આવ્યું હતું.

બોર્ડના અધિકારીઓએ પણ ધોરણ X અને XII ની પરીક્ષાઓમાં સામૂહિક પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓનું પુનરાવર્તન ન થવાનું કારણ બોર્ડમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધણીનું મોટું કારણ ગણાવ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બૉર્ડ રજિસ્ટ્રેશનમાં નાપાસ થનારા લગભગ 20-25% વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના આવતા વર્ષે પરીક્ષામાં ફરીથી હાજર રહે છે.”