ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ગત ફેબ્રુઆરી-માર્ચ માસમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ વેબસાઇટ મારફતે જાહેર કર્યું હતું. ગુજરાત રાજ્યનું ધો.10નું સરેરાશ પરીણામ 83.08 ટકા આવ્યુ હતું જ્યારે સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 86.20 ટકા આવ્યું હતું. 2025ની ધો.10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી હાઇએસ્ટ પરીણામ 83.08 ટકા છે. ગયા વર્ષે 82 ટકા પરીણામ આવ્યું હતું.
સમગ્ર રાજ્યમાંથી 746892 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 620532 વિદ્યાર્થીઓને આજે પાસ જાહેર કરવામાં આવ્યા હતા. સુરત શહેર જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી વિદ્યાર્થીઓ પાસ થયા હતા.
સમગ્ર રાજ્યમાંથી કૂલ 28055 વિદ્યાથીઓ 100 ટકાથી 91 પર્સન્ટાઇલ માર્ક એટલે કે એ-વન રેન્કમાં પરીણામ હાંસલ કરી શક્યા છે. સુરત શહેર જિલ્લામાથી 5393 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કરી શક્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સાયન્સનું પરીણામ ચાલુ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જાહેર થઇ શકે તેવી શક્યતાઓ ગુજરાત બોર્ડના ઉચ્ચ અધિકારીએ વ્યક્ત કરી છે. ગુજરાત બોર્ડની ધો.12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહીઓની ચકાસણીનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે, હવે રિઝલ્ટ શીટ તૈયાર થશે અને એ પછી પરીણામની ડેટા એન્ટ્રીનું કામ હાથ ધરાશે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા બાદ જૂન ના બીજા સપ્તાહમાં ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થઇ શકે છે. બોર્ડનું પરિણામ જાહેર કરવા માટે પરીક્ષાઓ પછી એપ્રિલ મહિનાની 11 તારીખથી ધોરણ-10ની અને 13 એપ્રિલથી ધોરણ-12 સાયન્સ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરુ કરવામાં આવી હતી.આ કામગીરીમાં 61 હજાર શિક્ષકો રોકાયા હતા. જેમાં સૌ પ્રથમ ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. એ પછી અને ધોરણ-10ની અને હવે સામાન્ય પ્રવાહની લગભગ 10 ટકા જેટલી કામગીરી બાકી છે. આ કામગીરી પણ ચાલુ અઠવાડિયા દરમિયાન પૂર્ણ થઈ જશે તેમ માનવામાં આવી રહ્યું છે.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયા પછી પણ નીટ-જેઇઇ બાકી હોવાથી અડધી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તો બાકી જ રહેશે
ધો.12 સાયન્સ પછી ઇજનેરીની આઇઆઇટી, એનઆઇટી, ત્રીપલ આઇટી જેવી કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી જેઇઇ મેઇન્સ અને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા છેક ઓગસ્ટ મહિના સુધી લેવાશે અને તે પછી જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નીટ પરીક્ષા છેક 17 જુલાઇએ લેવાશે અને એ પછી ઓગસ્ટમાં તેનું પરીણામ જાહેર થશે ત્યાર પછી જ મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીકમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.
આ અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ જશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. કેમકે એસીપીસી દ્વારા મેરીટ બનાવવા માટે ધો.12 સાયન્સ અને ગુજકેટનો સ્કોર જરૂરી છે, આ બન્ને રિઝલ્ટ આવી ચૂક્યા હોઇ, એસીપીસી દ્વારા ઇજનેરી, ફાર્મસીની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત રજિસ્ટ્રેશન શરૂ કરી દેવાશે.
એવી જ રીતે ધો.12 બાયોલોજી ધરાવતા વિદ્યાર્થીઓ માટે નોન નીટ, નીટના સ્કોર વગર જ્યાં પ્રવેશ મળી શકે છે તેવા ફિઝિયોથેરાપી, ઓપ્ટોમેટ્રી, નર્સિંગ વગેરે કોર્સ ઉપરાંત સ્થાનિક યુનિવર્સિટીઓના બી.એસસી. અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી ધો.12ના પરીણામની સાથે જ શરૂ થઇ જશે.
કેટલાક અણસમજુ લોકોએ નેશનલ એજ્યુકેશન પોલિસીનું સાવ જ ખોટું અર્થઘટન કરીને એવી વાતો ફેલાવી કે આગામી શૈક્ષણિક વર્ષ 22-23થી ધો.10 બોર્ડની પરીક્ષાઓ નીકળી જશે. વાલીઓએ પણ ધડમાથા વગરની આ વાત મોટા પાયે માની લીધી અને એ પ્રમાણે પોતાના સંતાનોને પણ માહિતી આપીને ખુશ કરી દીધા. પરંતુ, મળતી માહિતી મુજબ આવી કોઇ જ વાત નથી. હવે તો ગુજરાત બોર્ડે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે ધો.10ની પરીક્ષા રદ થાય કે થશે તેવી કોઇ જ શક્યતા નથી અને ધો.10ની પરીક્ષાઓ બોર્ડ દ્વારા જ લેવામાં આવશે.
બોર્ડે જણાવ્યું છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. વર્તમાન મૂલ્યાંકલન પ્રણાલીની નુકસાનકારક અસરોના નિર્મૂલન માટે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહિત કરવા માટે બોર્ડની પરીક્ષાઓની માળખાની પુનઃરચના કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના વ્યક્તિગત હિતોના આધારે ઘણા વિષયમાંથી બોર્ડની પરીક્ષાના વિષયો પસંદ કરી શકશે. બોર્ડની પરીક્ષાઓ સરળ બનાવવામાં આવશે.
ગુજરાત બોર્ડે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં કરેલી સ્પષ્ટતા આ મુજબ છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB- ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા આ અંગે સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. જે પ્રમાણે, ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે. આ પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.
દેશમાં આગામી દિવસોમાં નવી એજ્યુકેશન પોલિસી લાગુ થવાની છે. ત્યારે આ નવી વ્યવસ્થામાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કાઢી નાખવામાં આવશે તે મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો હતો. ધોરણ 8 અને ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ બોર્ડની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. વાલીઓમાં ગેરસમજ ન ઉભી થાય તે માટે જ શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી દીધી છે.
આજે તા.28મી માર્ચને સોમવાર સવારના સેશનમાં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઇ અને તંત્રવાહકોએ રાહતનો શ્વાસ લીધો. બે વર્ષ પછી શક્ય બનેલી ઓફલાઇન પરીક્ષાનો માહોલ અને બે વર્ષ પહેલાનો માહોલ સાવ જ અલગ હતો.
આજે સવારના સેશનમાં બે પરીક્ષા કેન્દ્ર પર જવાનું થયું. મોટા ભાગના પરીક્ષાર્થીઓના મનમાં એક જ સવાલ મૂઝવતો હતો અને એ કોવીડ રિલેટેડ હતો. કોવીડ-19 કેટલી હદે મન પર છવાઇ ગયો છે તેની પ્રતીતી પણ પરીક્ષાર્થીઓના એક જ કોમન સવાલ પરથી થઇ.
લગભગ સાતેક પરીક્ષાર્થીઓએ પૂછ્યું કે પરીક્ષા ખંડમાં પરીક્ષા ચાલતી હોય ત્યારે માસ્ક પહેરી રાખવાનો કે કાઢી નાંખે તો ચાલે, આ સવાલનો જવાબ વિદ્યાર્થીઓ જયારથી ટાઇમટેબલ જાહેર થયું ત્યારથી પૂછી રહ્યા છે પણ કોઇ તંત્રવાહકોએ ક્લીયરકટ જવાબ આપ્યો નહીં.
ન તો જિલ્લા કક્ષાની પરીક્ષા સમિતિએ ના તો ગુજરાત બોર્ડે સ્પષ્ટતા કરી કે પરીક્ષા દરમિયાન માસ્ક પહેરી રાખવું કે કાઢી નાંખે તો ચાલશે.
પરીક્ષા સમય દરમિયાન માસ્ક પહેરવું કે ન પહેરવું એ અંગે સ્પષ્ટતા કરવાથી બચ્યા તંત્રવાહકો
એક તો બે વર્ષ બાદ બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે, ધો.8ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી સીધો જ આ વર્ષે ધો.10ની ઓફલાઇન પરીક્ષા આપી રહ્યો છે અને પરીક્ષા ખંડમાં ત્રણ કલાકની પરીક્ષા દરમિયાન માસ્ક પહેરવો કે નહીં તે અંગે સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય કેમકે ઘરે પરીક્ષા પ્રેક્ટીસ માસ્ક વગર જ કરી હતી અને હવે જ્યારે માસ્ક પહેરીને ત્રણ કલાક પેપર લખવાનું આવ્યું હોઇ, વિદ્યાર્થીઓને મુશ્કેલી સર્જાય એ માનવાને કારણ છે. પરંતુ, તંત્રવાહકોએ ન તો ભારપૂર્વક કીધું કે માસ્ક પહેરી રાખવું પડશે ન તો તેમાં રાહત આપતી કોઇ જાહેરાત કરી.
વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પહોંચ્યા પરીક્ષા સ્થળો પર
આજે સવારે ધો.10ની પરીક્ષાઓ શરૂ થવાના દોઢેક કલાક પહેલાથી જ પરીક્ષાર્થીઓનું સ્કુલ બિલ્ડીંગો પર આવવાનું શરૂ થઇ ગયું હતું. પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ આવતા અમૂક સ્કુલો કે જે મેઇન રોડ પર આવેલી છે ત્યાં ટ્રાફિક, પાર્કિંગ અને ભીડના પ્રશ્નો સર્જાયા હતા. જે સ્કુલોમાં પ્લેગ્રાઉન્ડ છે ત્યાં ટ્રાફિક કે ભીડભાડ કે પાર્કિંગની કોઇ સમસ્યા જોવા મળી ન હતી. વાલીઓને સ્કુલના દરવાજાના બહાર જ અટકાવી દેવાયા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે સ્કુલ બિલ્ડીંગમાં પ્રવેશી ચૂક્યા બાદ પણ વાલીઓ જે તે સ્કુલોની બહાર ઉભા રહ્યા હોઇ, ટ્રાફિક અને પાર્કિગના પ્રશ્નો સર્જાયા હતા.
પરીક્ષા સંબંધિત કોઇપણ ઘટના કે બાબત અમને જણાવવા માંગતા હોવ તો 98253 44944 પર સંપર્ક કરવો.
28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.
ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.
જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.
સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે.
A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે. B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.
ચાલુ માસથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાને અનુલક્ષીને ગુજરાત બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ હેલ્પલાઇન વ્યવસ્થા વિકસાવવાનો નિર્ણય લીધો છે. આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ, વાલીઓથી લઇને શાળાના શિક્ષકો, આચાર્યોને કનડતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશે.
ગુજરાત બોર્ડની પરીક્ષા હેલ્પલાઇન નં. 1800 233 5500
શીખવાની ખોટ એ બે વર્ષના રોગચાળાના સૌથી ચર્ચિત પરિણામોમાંનું એક હોઈ શકે છે પરંતુ ગુજરાતમાં બીજી મોટી ખોટ નોંધાઈ છે. ગયા વર્ષ 2021ની ગુજરાત બોર્ડની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ આ વર્ષે આગામી માર્ચ 2022માં લેવાનારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં 5 લાખ 80 હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઇ છે.
2021માં ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે કુલ 14 લાખ 3 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તમામને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા. આ વર્ષે 2022માં આગામી માર્ચમાં લેવાનારી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 9 લાખ 72 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ ધો.10માં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વિદ્યાર્થી સંખ્યામાં 4.31 લાખનો ઘટાડો નોંધાયો છે.
એના પણ આગલા વર્ષે 2020માં કોરોના પેન્ડેમિકની શરૂઆત વખતે ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે 11 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ નોંધાયા હતા.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 2021માં નોંધાયેલા 5.42 લાખ વિદ્યાર્થીઓની સામે આ વર્ષે માર્ચ 2022ની પરીક્ષા માટે કુલ 4.26 લાખ વિદ્યાર્થીઓએ નોંધાયા છે. આમ, ધો.12 સામાન્ય પ્રવાહમાં ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 1.16 લાખ વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 2021માં નોંધાયેલા 1.4 લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 1.07 લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા છે. ધો.12 સાયન્સમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 33,000 ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા છે.
નિષ્ણાતો માને છે કે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યામાં આટલો મોટો ઘટાડો અભૂતપૂર્વ છે. મુખ્યત્વે, તેઓ નોંધપાત્ર ઘટાડા પાછળના બે કારણો ટાંકે છે – વિદ્યાર્થીઓએ રોગચાળા દ્વારા પ્રેરિત નાણાકીય અને સામાજિક મુશ્કેલીઓને કારણે શાળાઓ છોડી દીધી હતી અને કોવિડ -19 ના બીજા તરંગ પછી બોર્ડના વિદ્યાર્થીઓને સામૂહિક પ્રમોશન આપવામાં આવ્યું હતું.
બોર્ડના અધિકારીઓએ પણ ધોરણ X અને XII ની પરીક્ષાઓમાં સામૂહિક પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓનું પુનરાવર્તન ન થવાનું કારણ બોર્ડમાં ઓછા વિદ્યાર્થીઓ નોંધણીનું મોટું કારણ ગણાવ્યું છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “બૉર્ડ રજિસ્ટ્રેશનમાં નાપાસ થનારા લગભગ 20-25% વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના આવતા વર્ષે પરીક્ષામાં ફરીથી હાજર રહે છે.”
About us
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.