CIA ALERT

Fogwa Archives - CIA Live

July 23, 2024
ashok-jirawala.png
1min404

ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન ફોગવાના પ્રેસિડેન્ડ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજના બજેટમાં એક પણ મહત્વની જોગવાઇ કરવામાં આવી નથી. અમારી સૌથી મોટી માગણી હતી કે વીવીંગ, નીટીંગ જેવા નાના કારખાનેદારો માટે ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની એ-ટફ અગર તો તેના જેવી કોઇ સ્કીમ જાહેર કરવામાં આવે જેથી કરીને ઉદ્યોગમાં નવું મુડીરોકાણ આવે પરંતુ, એ માગણી સતત બીજા વર્ષે નકારી કાઢવામાં આવી છે. આ ઉપરાંત પણ અનેક માગણીઓ સ્વીકારાઇ નથી એટલે ઉદ્યોગકારોમાં નિરાશાજનક માહોલ છે.

February 4, 2023
weavers.jpg
1min2758

વાર ટુ વાર પેમેન્ટ સિસ્ટમનો અમલ કરવા વીવીંગ કારખાનેદારો મક્કમ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Textile trading comes to a standstill in Surat amid second Covid-19 wave |  Business Standard News

સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં વિકસેલા ટેક્ષટાઇલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનના મહત્વના અંગ ગણાતા વીવીંગ કારખાનેદારો, ગ્રે ઉત્પાદકોએ સ્વયંભુ નિર્ણય કર્યો છે કે આગામી તા.1લી માર્ચ 2023થી નવો પેમેન્ટ ધારો અમલી બનાવવો. વીવીંગ કારખાનેદારો જે દિવસે ગ્રે માલ કે ફેબ્રિક વેચશે એના 7 દિવસમાં ખરીદારે પેમેન્ટ (વાર ટુ વાર) ચૂકવવાનું રહેશે.

સુરતના વીવીંગ કારખાનેદારોના અનેક વ્હોટ્સએપ ગ્રુપોમાં હાલ આ મેસેજ ભારે વાઇરલ થયો છે. વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ નિર્ણય લઈ લીધો છે. કોઇ એસોસીએશન, સંગઠન નિર્ણય કરે એ પહેલા વીવીંગ કારખાનેદારોએ 7 દિવસની પેમેન્ટ સાઇકલનો નવો પેમેન્ટ ધારો અમલી બનાવવાનો નિર્ણય કરી દીધો છે.

આ અંગે વધુ માહિતી આપતા શહેરના જાણિતા વીવીંગ ઉદ્યોગ અગ્રણીએ જણાવ્યું હતું કે હાલના પેમેન્ટ ધારામાં ખરીદારોને 60થી 90 દિવસ આપવામાં આવે છે. જેમાં અનેક વીવીંગ કારખાનેદારોને કડવા અનુભવો થયા છે. અનેક પાર્ટીઓ ઉધારમાં માલ ખરીદ્યા બાદ પેમેન્ટ આપવાની વાત આવે ત્યારે ટૂકડે ટૂકડે પેમેન્ટ કરે છે જે વીવીંગ કારખાનેદારને કામ નથી આવતી, મોટી રકમ એક સાથે મળવાનો જે ફાયદો થાય તે વિસરી જાય છે. એથી વિશેષ અનેક પાર્ટીઓ વીવર્સ પાસેથી માલ ખરીદ્યે રાખીને છેલ્લા ઉઠમણાઓ કરીને ભાગી જાય છે.

લાંબા સમયની પેમેન્ટ સાઇકલને કારણે વીવીંગ કારખાનેદારોએ યાર્ન ખરીદી તેમજ અન્ય ડેઇલી ખર્ચાઓ માટે કાર્યશીલ મૂડીને જરૂર પડે છે અને તેણે બજારમાંથી ધિરાણ મેળવવું પડે છે. આવી અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે શહેરના હજારો વીવીંગ કારખાનેદારોએ સ્વયંભુ મૂહિમ ચલાવીને આગામી તા.1લી માર્ચ 2023થી સાત દિવસમાં પેમેન્ટનો નવો ધારો જાતે જ અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે અને આ સંદેશો હાલમાં દરેકે દરેક વીવીંગ કારખાનેદાર સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે.

વીવીંગ આગેવાને કહ્યું કે જેમણે માલ ખરીદવો હોય તેઓ ખરીદે પણ જે વિવર્સે નવો પેમેન્ટ ધારો અમલી બનાવ્યો છે એ સાત દિવસમાં પેમેન્ટ માગશે જ અને એ બાબત બિલિંગ સહિતના દસ્તાવેજ પર અંકિત કરી દેવામાં આવશે.

October 1, 2022
Cia_business_news-1280x936.jpg
1min722

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગમાં પહેલીવાર એવું બન્યું કે મનસ્વી રીતે યાર્નના ભાવમાં વધઘટ કરતા સ્પીનર્સે વીવીંગ કારખાનેદારોની નીતિ સામે ઝૂકવું પડ્યું છે અને નાયલોન યાર્નના પ્રતિ કિલોના ભાવમાં એક જ ઝાટકે રૂ.30નો જંગી ઘટાડો કરવો પડ્યો છે. નાયલોન યાર્નનો સપ્લાય કરતા 19 પૈકી એક સ્પીનરે રાતોરાત ભાવ ઘટાડી દેતા હવે અન્ય કંપનીઓએ પણ ભાવ ઘટાડવાની ફરજ પડશે.

  • પાંડેસરા વિવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ કરી હતી અપીલ
  • નાયલોન વપરાશકારોએ પેનિક બાઇંગ કર્યું નહીં, મર્યાદિત ખરીદી કરી
  • નાયલોન યાર્નના ભાવમાં નફાનો ફુગાવો વસૂલ કરી રહ્યા હતા સ્પીનર્સ
  • એક સ્પીનરે યાર્નના ભાવ ઘટાડ્યા, હવે અન્યોને ફરજ પડશે
  • હજુ પણ નાયલોન યાર્ન વપરાશકારોએ જરૂર મુજબની ખરીદી કરવાની સલાહ

પાંડેસરા વીવર્સ સોસાયટીના સેક્રેટરી વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે ગઇ તા.23મી સપ્ટેમ્બરના રોજ તેમણે દરેક વીવીંગ કારખાનેદારોને અપીલ કરી હતી કે આંતર રાષ્ટ્રીય બજારમાં નાયલોન યાર્નના મેન્યુફેક્ચરિંગમાં વપરાતા રો મટિરિયલના ભાવ ઘટ્યા છે અને તેને પગલે નાયલોન યાર્નના ભાવ ઘટવા જોઇએ પરંતુ, સ્પીનર્સે ભાવ ઘટાડવાની જગ્યાએ કોણીએ ગોળ વળગાડવાની નીતિ અપનાવતા સામી દિવાળીએ વીવીંગ કારખાનેદારોએ સપ્તાહમાં બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવો પડ્યો હતો. જેને લઇને વીવીંગ કારખાનેદારોની યાર્નની ખરીદી ખપ પૂરતી  સિમીત બની ગઇ હતી.

એક જ સપ્તાહમાં નાયલોન યાર્ન સ્પીનર્સે ભાવ ઘટાડો કરવાની સ્થિતિમાં આવવું પડ્યું છે.વિમલ બેકાવાલાએ જણાવ્યું હતું કે નાયલોન યાર્નના ઉત્પાદકો પૈકી પ્રફુલ કંપનીએ આજે તા.1લી ઓક્ટોબરથી જ અમલમાં આવે તે રીતે નાયલોન યાર્નના પ્રતિ કિલોના રૂ.285ના ભાવમાં સીધો જ રૂ.30નો ઘટાડો કરીને નવો ભાવ રૂ.255 પાડ્યો છે. વીવીંગ કારખાનેદારો પેનિક બાઇંગથી દૂર રહ્યા અને ખપ પૂરતી જ યાર્નની ખરીદી કરી તેને કારણે યાર્નના ભાવ ઘટ્યા છે. વીવર્સે હજુ પણ ખરીદીમાં ઉતાળવ કર્યા વગર જરૂરીયાત પ્રમાણેની ખરીદી કરશે તો હજુ પણ યાર્નના ભાવમાં જે ફુગાવો થયો છે તેનો તોડી શકાશે.

સ્પીનર્સોમાં ભાવ ઘટાડવાના મુદ્દે પડી તકરાર

સુરતના વીવીંગ કારખાનેદારો પાસેથી વર્ષોથી મનસ્વી રીતે ભાવ વસૂલતા આવેલા નાયલોન યાર્ન સ્પીનર્સમાં યાર્નના ભાવ ઘટાડવાના મુદ્દે તકરાર પડી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પીનર્સ વીવર્સની ધીરજ ખૂટાડવા માંગતા હતા. વીવર્સ થોડા દિવસમાં જ યાર્નના ભાવ વધશે તેવા ભયે પેનિક બાઇંગ કરીને યાર્ન ખરીદવા માંડશે એવી ગણતરી રાખીને બેઠેલા સ્પીનર્સની ધારણા ખોટી પડી અને સ્પીનર્સ પૈકીની જ એક કંપનીએ આજે નાયલોય યાર્નના ભાવ 15 ટકા જેટલા એક જ ઝાટકે ઓછા કરી દીધા છે. મળતી માહિતી મુજબ યાર્નના ભાવના ખેલમાં હવે વધુ સ્પીનર્સે ઘસડાવું પડશે નહીં તો તેમની પાસેથી મોંઘા ભાવનું યાર્ન કોઇ ખરીદશે નહીં.

December 31, 2021
Cia_business_news-1280x936.jpg
1min467

जयेश ब्रह्मभट्ट 98253 44944

कपडा उधोग को केलेन्डर इयर 2021 के अंतिम दिन आज टेक्षटाइल के व्यापार-उत्पादन से जुडे लोगो को बडी राहत मिली है की जीसे 2022 का साल खुशीयो से हरा-भरां बन पाएगा. आज हूई जी.एस.टी. काउन्सिल के मिटींग में कपडा उधोग पर कल दि. 1-1-2022 से लागू की जानेवाले 12 प्रतिशत टेक्स के संदर्भ में जारी किया गया 18 नवम्बर का नोटिफिकेशन स्थगित करने का निर्णय लीया गया है. फिलहाल कपडा उद्योग में इन्वर्टेड टेक्स स्ट्रक्चर जारी रहेगा. कल दि. 1 जनवरी 2022 से कपडा उधोग में 5 प्रतिशत जीएसटी ही लागू रहेगा.

કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટી વસૂલ કરવા સંદર્ભે કેન્દ્ર સરકારે અગાઉ તા.18મી નવેમ્બર 2021ના રોજ જારી કરેલા નોટિફિકેશનને આજે જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. કપડા ઉદ્યોગમાં હાલનું ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર જ યથાવત રાખવાનો નિર્ણય આજે તા.31મી ડિસેમ્બરના રોજ મળેલ જીએસટી કાઉન્સિલની મિટીંગમાં સર્વાનુમતે લેવામાં આવ્યો હોવાની માહિતી બિનસત્તાવાર રીતે મળી છે. સત્તાવાર રીતે નાણામંત્રી નિર્મલા સીતારમન બપોરે ત્રણ વાગ્યે મિડીયાને બ્રીફીંગ આપશે.

જીએસટી કાઉન્સિલની હવે પછીની મિટીંગમાં કપડા અને ફૂટવેર ઉદ્યોગમાં જીએસટીના ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પમાં શું કરી શકાય એ અંગે ચર્ચા વિચારણા કરીને ફાઇનલ રોડ મેપ તૈયાર કરવાનું પણ આજની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે.

આજે તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની મિટીંગના દ્રશ્યો

ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના વિકલ્પ શોધવા માટે સ્ટેક હોલ્ડર્સ સાથે મિટીંગોનું આયોજન હવે પછીના સમયમાં કરવામાં આવશે.

December 30, 2021
weavers.jpeg
1min699

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોએ આજે તા.30મીએ કરેલા દેખાવોની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ સોશ્યલ મિડીયા હેન્ડલ મારફત દિલ્હી સરકાર સુધી પહોંચી છે. સુરતમાંથી અનેક લોકોએ ટેક્ષટાઇલ, વાણિજ્ય અને નાણા મંત્રાલય સુધી ફોટો, વિડીયોઝ શેર કરીને ઝાંખી કરાવી દીધી છે કે કપડા ઉદ્યોગમાં પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર યથાવત્ રાખવા માટે સુરતનો ટેક્ષટાઇલ ઉદ્યોગ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

સુરતમાં આજે ફક્ત એક દિવસના પ્રતિક દેખાવોથી કેન્દ્ર સરકારની આંખ ઉઘડી જાય તેવી સ્થિતિ છે કેમકે અનેક રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓને જોતા નવું દેશવ્યાપી ઔદ્યોગિક આંદોલન હવે કેન્દ્ર સરકારને પોષાય શકે તેમ નથી. આવી સ્થિતિમાં આવતીકાલ તા.31મી ડિસેમ્બરની જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કપડા ઉદ્યોગની લાગણીને અનુરૂપ રસ્તો કાઢી આપવાની નીતિ અપનાવાય તેવા સંકેતો મળી રહ્યા છે.

દિલ્હી સુધી પહોંચ્યો થાળીનો રણકાર, કાળા વાવટા અને સદબુધ્ધિ હવન

કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલનની જેમ કપડા ઉદ્યોગનું આંદોલન રાષ્ટ્રવ્યાપી અને જલદ બને એ પહેલા જ આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ મળી રહેલી જીએસટી કાઉન્સિલની મિટીંગમાં કેટલાક નિર્ણયો લઇને હાલ તુરત કપડા ઉદ્યોગમાં વિકસી રહેલા આંદોલનને થાળે પાડવાની રણનીતિ કેન્દ્રએ બનાવી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે અને આ બાબતને વધુ ત્યારે બળ મળ્યું કે જ્યારે આજે સુરતના વીવીંગ કારખાનેદારો, ટ્રેડર્સે મોટી સંખ્યામાં કાળા વાવટા ફરકાવ્યા, થાળીઓ વગાડીને કેન્દ્ર સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો. સુરતના આંદોલનની ગૂંજ ગણતરીની મિનીટોમાં જ દિલ્હી સુધી પહોંચી ગઇ છે.

50 હજારથી વધુ ટેક્ષટાઇલ દુકાનો બંધ રહી

સુરતમાં આજે કપડા ઉદ્યોગમાં જીએસટી વિરુદ્ધમાં ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એશોસીએશન (ફોસ્ટા)ના એલાન અનુસાર 50 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરીને દેખાવો યોજ્યા હતા. સુરતમાં જેટલું મોટું ટેક્ષટાઇલ વેપારીઓનું સંગઠન (ફોસ્ટા) છે તેટલું મોટું કપડા વેપારીઓનું સંગઠન દેશમાં અન્ય કોઇ જ શહેરમાં નથી. કેન્દ્ર સરકાર સુધી સુરતના ટેક્ષટાઇલ વેપારીઓના આજના બંધની પણ ફોટો વિડીયો સમેતની વિગતો પહોંચી ચૂકી છે.

સુરતના ઉદ્યોગોએ આંદોલનમાં લીડ ના લીધી હોત તો કદાચ 31મી ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટીંગ ના મળી હોત

સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગ વતી સુરતમાંથી જ જો ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્ર સરકાર સામે લડત ચલાવવાની લીડ ના લીધી હોત તો સંભવ છે કે જીએસટી કાઉન્સિલની તાબડતોડ મિટીંગ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી ના યોજાઇ હોત. અને તા.1લી જાન્યુઆરીથી 12 ટકા જીએસટીનો અમલ શરૂ પણ થઇ ચૂક્યો હતો. પણ સુરતની લિડરશીપને કારણે સમગ્ર દેશમાં ટેક્ષટાઇલ ઉદ્યોગકારો, કપડા વિક્રેતાઓ વગેરેએ નાના મોટા દેખાવો, પ્રદર્શનો શરૂ કરી દીધા જેની ગૂંજ ફોટો, વિડીયો, સોશ્યલ મિડીયા પોસ્ટ મારફતે નીતિ ઘડનારાઓ સુધી પહોંચી ગઇ છે.

December 30, 2021
Cia_business_news-1280x936.jpg
1min723

Jayesh Brahmbhatt 98253 44944

નાણામંત્રાયલે ખુબ જ શોર્ટ નોટિસથી આવતીકાલ તા.31મી ડિસેમ્બર 2021ના રોજ જીએસટી કાઉન્સિલની મિંટીગ યોજી છે. આ મિટીંગનો ઉદેશ કેન્દ્ર સરકાર સામે વિકસી રહેલા વધુ એક દેશવ્યાપી આંદોલનને થાળે પાડવાનો હોવાના સ્પષ્ટ સંકેત સમાન છે. ફક્તને ફક્ત ટેક્ષટાઇલ અને ફૂટવેયરમાં ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચરના મુદ્દે તા.1લી જાન્યુઆરી 2022 પહેલા કોઇ નિર્ણય લઇ શકાય એ માટે જ જીએસટી કાઉન્સિલની તાકીદની અને શોર્ટ નોટિસથી મિટીંગ યોજવામાં આવી છે.

વિકલ્પ -1

જીએસટી કાઉન્સિલની તા.31મી ડિસેમ્બરે મળનારી મિટીંગમાં ટેક્ષટાઇલ અને ફૂટવેર ઇન્ડસ્ટ્રીઝમાં હાલ પ્રવર્તમાન ઇન્વર્ટેડ ટેક્સ સ્ટ્રક્ચર દૂર કરીને 12 ટકા ફ્લેટ દરે જીએસટી વસુલ કરવા સંદર્ભે ગઇ તા.18મી નવેમ્બર 2021ના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનનો અમલ તા.1લી જાન્યુઆરી 2022થી નહીં પરંતુ, તેને ત્રણેક મહિના એટલે કે તા.31મી માર્ચ 2022 સુધી મુલતવી રાખીને એ સમયગાળા દરમિયાન સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર વિમર્શ કરીને તા.1લી એપ્રિલ 2022થી કપડા ઉદ્યોગ અને ફૂટવેર ઉદ્યોગમાં નવું ટેક્સ સ્ટ્રક્ચર લાગૂ કરવાનો નિર્ણય લેવાય શકે છે.

વિકલ્પ -2

જીએસટી કાઉન્સિલ એવો પણ નિર્ણય લઇ શકે કે કપડા અને ફૂટવેર ઉધોગમાં 12 ટકા જીએસટીના અમલ કરવા અંગે તા.18મી નવેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનને કાયમી રીતે રદબાતલ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચરનો અમલ યથાવત રાખવામાં આવે.

બે વિકલ્પ સિવાય ત્રીજો વિકલ્પ માટે તાકીદની મિટીંગ યોજાઇ જ ન હોત

જીએસટી કાઉન્સિલ જો 18 નવેમ્બરના નોટિફિકેશનનો અમલ કરાવવા માંગતી જ હોત તો આવતીકાલ તા.31મી ડિસેમ્બરે શોર્ટ નોટિસથી મિટીંગ યોજવાનો કોઇ મતલબ કે હેતુ જ ના હોત

ટૂંકમાં એ વાત કન્ફર્મ છે કે ક્યાં તો 12 ટકા જીએસટી જાહેરનામાનો અમલ મુલતવી રાખવામાં આવે અથવા તો જાહેરનામું જ રદ કરીને પ્રવર્તમાન ટેક્સ સ્ટ્રક્ચર યથાવત રાખવામાં આવે. જાણકારો કહે છે કે નોટિફિકેશન રદ કરવા જેવું પગલું કેન્દ્ર સરકાર કે કાઉન્સિલ નહીં ભી શકે. પરંતુ, ત્રણેક મહિના મુલતવી રાખીને સ્ટેક હોલ્ડર્સ સાથે વિચાર મંથન કરીને બાદમાં તેનો અમલ કરવામાં આવે.

ટેક્સટાઇલ માર્કેટોએ આજે 30 સજ્જડ બંધ પાળ્યો

12 ટકા જીએસટીના વિરોધમાં સુરત શહેરની 98 ટકા જેટલી ટેક્ષટાઇલ માર્કેટોના વેપારીઓએ આજે તા.30મી ડિસેમ્બર 2021ના રોજ દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાળ્યો હોવાના અહેવાલો મળ્યા છે. દરમિયાન ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા) મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જીએસટી દર ન વધારવા માટે અમે એક દિવસ માટે ટોકન સ્ટ્રાઇક રાખી છે. અમે અમારી વાત જીએસટી કાઉન્સિલ સુધી પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છીએ. અમારા આ બંધના એલાનમાં કોઈપણ પ્રકારનું કોઈનું રાજકીય હિત નથી. માત્ર ને માત્ર વેપારી સંગઠનો જ સક્રિય છે અને અમને પૂરતી અપેક્ષાઓ છે કે અમારા સ્થાનિક ધારાસભ્ય અને ટેક્સટાઇલમંત્રીની રજૂઆતને કારણે જીએસટી કાઉન્સિલ લીધેલા નિર્ણયમાં તેઓ ફરી એક વખત ફેરવિચારણા કરશે. તમામ વેપારી સંગઠનો કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને કોઈપણ જગ્યાએ મોટી સંખ્યામાં એકત્રિત થવાના નથી.

થાળી વગાડી, કાળા વાવટી બતાવીને જીએસટીનો વિરોધ