CIA ALERT

ECI Archives - CIA Live

August 16, 2024
election_voting.jpg
1min161

ભારતના ચૂંટણી પંચે 10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીર રાજ્યની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવવા માંડ્યો છે. ECIએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 2014 પછી પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બંધારણની કલમ 370 નાબૂદ કર્યા પછી અને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૂપાંતરિત કર્યા પછી અહીં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કાનું 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. પરિણામ 4 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી યોજાશે

હવે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે, જેમાં જમ્મુમાં 43 અને કાશ્મીરમાં 47 સીટો છે. PoK માટે માત્ર 24 સીટો આરક્ષિત છે. અહીં ચૂંટણી થઈ શકે તેમ નહીં. જ્યારે લદ્દાખ અલગ જ કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં વિધાનસભા નથી. આ રીતે જમ્મુ-કાશ્મીરમાં કુલ 114 બેઠકો છે જેમાંથી 90 બેઠકો પર ચૂંટણી યોજાશે. જમ્મુ ક્ષેત્રમાં, સાંબા, કઠુઆ, રાજૌરી, કિશ્તવાડ, ડોડા અને ઉધમપુરમાં એક-એક સીટ વધારવામાં આવી છે. તે જ સમયે, કાશ્મીર ક્ષેત્રમાં કુપવાડા જિલ્લામાં એક બેઠકનો વધારો કરવામાં આવ્યો છે.

આ સાથે જ હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. હરિયાણામાં એક તબક્કામાં પહેલી ઑક્ટોબરે વિધાનસભાની ચૂંટણી યોજાશે અને 4 ઑક્ટોબરે પરિણામો જાહેર કરવામાં આવશે .

October 14, 2022
stc_election.png
1min391

દેશના ચૂંટણી પંચે આજે તા.14મી ઓક્ટોબરને શુક્રવારે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી હોઇ, સમગ્ર ગુજરાતમાં રાજકીય તખ્તે ભારે ચહલપહલ સર્જાવા પામી છે.

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સના એજન્ડા કે જાહેરાત અંગે કોઇ જ જાણકારી આપી નથી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશ બન્ને એવા રાજ્યો છે જેની પાંચ વર્ષની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થઇ રહી છે. ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે. બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે. 

January 8, 2022
voting.jpg
1min475

યુપીમાં તમામ સાત, પંજાબ, ઉત્તરાખંડ, ગોવામાં એક જ્યારે મણીપુરમાં બે તબક્કામાં થશે મતદાન

2022માં પાંચ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કરી દેવાયો છે. તમામ પાંચ રાજ્યની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. પહેલા તબક્કામાં યુપીમાં 10 ફેબ્રુઆરીએ વોટિંગ શરુ થશે. બીજા તબક્કામાં યુપીની સાથે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં પણ ચૂંટણી યોજાશે. આ ત્રણેય રાજ્યોમાં તમામ બેઠકો પર એક જ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ જશે. જ્યારે યુપીમાં તમામ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મણીપુરમાં બે તબક્કામાં વોટિંગ થશે. 07 માર્ચના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે, જ્યારે 10 માર્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ યુપી સહિતના રાજ્યોનો કાર્યક્રમ જાહેર કરતા જણાવ્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી રોડશો, પદયાત્રા, કોઈપણ પ્રકારની રેલી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ત્યારબાદ કમિશન સ્થિતિની સમીક્ષા કરીને આ નિયંત્રણોને લંબાવવા કે કેમ તેની સમીક્ષા કરશે. આ ઉપરાંત, રાતના 8થી સવારના 8 વાગ્યા સુધી પણ પ્રચાર નહીં કરી શકાય. પંચે નુક્કડ સભા પર પણ હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે.

પાંચ રાજ્યોની ચૂંટણીમાં આ વખતે 24.9 લાખ મતદાતા પહેલીવાર વોટિંગ કરશે. કુલ 18 કરોડ મતદારોમાં 8.5 કરોડ મહિલાનો સમાવેશ થાય છે. CEC સુશીલ ચંદ્રાના જણાવ્યા અનુસાર, યુપીની 403, પંજાબની 117, ઉત્તરાખંડની 70 જ્યારે મણીપુર અને ગોવાની 40-40 બેઠકો પર મતદાન યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, કોરોનાના સતત વધતા કેસ વચ્ચે પંચ દ્વારા હોમ સેક્રેટરી તેમજ હેલ્થ સેક્રેટરી ઉપરાંત હેલ્થ એક્સપર્ટ્સ સાથે સલાહ-મસલત કરવામાં આવી હતી. સ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કર્યા બાદ તમામ તકેદારી સાથે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવાયો હોવાની માહિતી તેમણે આપી હતી. આ ઉપરાંત, 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતા પોસ્ટલ બેલટથી મતદાન કરી શકશે. દરેક બુથ પર સેનિટાઈઝર અને માસ્કની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

જે પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાંથી પંજાબ સિવાયના તમામ ચાર રાજ્યોમાં ભાજપ હાલ સત્તા પર છે. જેમાં યુપીની ચૂંટણી ખૂબ જ મહત્વની મનાઈ રહી છે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતાં જ આ પાંચેય રાજ્યોમાં તાત્કાલિક અસરથી આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. હાલ તમામ રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મચી પડ્યા છે. ખાસ કરીને યુપીમાં ઉપરાછાપરી નેતાઓની વિશાળ રેલીઓ થઈ રહી છે. પીએમ મોદી પણ યુપીમાં અત્યારસુધી અનેક રેલી કરી ચૂક્યા છે.