cialivenews Archives - CIA Live

October 7, 2024
setu-foundation-1280x720.jpeg
1min284

સેતુ ફાઉન્ડેશન નું એક ડેલિગેશન ચેરમેન શ્રી હેતલ મેહતા ના નેજા હેઠળ યુરોપ ના ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે ગયું હતું. જેમાં સેતુ ફોઉન્ડેશન ના ડિરેક્ટર શ્રી પંકજ ત્રિવેદી, એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તેમજ સેતુ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ શ્રીમતી વિજયા માહેશ્વરી તેમજ સી આઈ આઈ ના આઈ પી એફ સી ( મિનિસ્ટ્રી ઓફ એમ એસ એમ ઈ દ્વારા સ્થાપિત) ના હેડ અને ડિરેક્ટર શ્રી અનિલ પાંડે સામેલ હતા.

ફ્રાન્સ ખાતે ફ્રાન્સ ઇન્ડિયા બિઝનેસ ડે નીમ્મીતે ભારત-ફ્રાન્સ વેપાર સંવાદમાં સક્રિય ભાગીદારી કરી બંને દેશોના વચ્ચે વેપારિક સહકારને પ્રોત્સાહન આપી નવા રોકાણના અવસરો માટે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી જેમાં ઘણા નવા વેપોરો ની શક્યતા ઉદ્ભવી હતી.

ત્યાર બાદ જીનીવા, સ્વિટ્ઝર્લેન્ડ ખાતે યુનાઇટેડ નેશનના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દ્વારા આયોજિત ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ ૨૦૨૪ ના લોન્ચ પ્રોગ્રામ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું જ્યાં દુનિયા ભર ના વિવિધ ઇનોવેશન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું તેમજ ભવિષ્ય ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર વિવિધ દેશો દ્વારા ચર્ચા થઇ હતી જેમાં સેતુ ફોઉન્ડેશન ના ચેરમેન દ્વારા ભારત દેશ ના સોશ્યિલ ઇનોવેશન એન્ટરપ્રિનીરશીપ ઈન્ડેક્સ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને કહ્યું હતું કે “આ ભારત માટે ગર્વનો ક્ષણ છે, ગ્લોબલ ઇનોવશન ઇન્ડેક્સમાં ભારતનું સામેલ થવું એ આપણા દેશના ઇનોવેશન અને ટેકનીકી ક્ષમતા વધારવાની શક્તિનું પુરાવો છે.

ત્યાર બાદ યુનિટેડ નેશન ના વર્લ્ડ ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ના એકેડમિક વિભાગ જોડે સ્પેશ્યલ મિટિંગ કરી ભારત ખાતે નાના ઉદ્યોગકારો માટે ના લોકલ ભાષા માં સ્પેશ્યલ કોર્ષ ચાલુ કરવા માટે રજુઆત કરી હતી.

સેતુ ફાઉન્ડેશનની આ પહેલ માત્ર ભારતીય વેપારી સમુદાય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ આ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ઓળખને પણ મજબૂત બનાવશે। ગયા કેટલાક વર્ષોમાં, ભારતે ઇનોવેશનના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે।

સેતુ ફાઉન્ડેશનનો આ પ્રવાસ ભારતના ઇનોવેશન ક્ષેત્રમાં એક માળખાકીય પાયે લક્ષ્ય બનશે અને આ વૈશ્વિક સ્તરે ભારતની ટેકનીકી ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. 2024માં, ભારતની ઇનોવેશન ક્ષમતા ને વધુ ઊંચાઈઓ પર લઇ જવાનો લક્ષ્ય છે, અને આ સંકેત છે કે ભારત વૈશ્વિક ઇનોવેશન ના ફિલ્ડ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

December 11, 2021
khattar.jpg
1min395

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કામચલાઉ ધોરણે જાહેર સ્થળો પર શુક્રવારની નમાજ બંધ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુગ્રામમાં જાહેર સ્થળોએ યોજાતી નમાજનો અનેક હિન્દુ સંગઠનોએ વિરોધ કરતાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે જાહેરમાં નમાજ અદા કરવાનું સાંખી નહિ લેવાય. ખુલ્લી જગ્યાઓમાં પ્રાર્થના કરવા માટે કેટલાક પ્લોટ્સ અનાત રાખવાના જિલ્લા વહીવટીતંત્રના આદેશને પાછા ખેંચવામાં આવે છે અને રાજ્યસરકાર આ મુદે સુમેળભર્યો ઉકેલ લાવવાની દિશામાં કામ કરશે. 

જાહેર સ્થળોએ નમાજ અદા કરવાના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધના મામલે પૂછાયેલા એક સવાલના જવાબમાં મુખ્યમંત્રી ખટ્ટરે એ કહ્યું હતું કે ખુલ્લી જગ્યામાં નમાજ અદા કરવાની રીતિ ચલાવી નહિ લેવામાં આવે. તમામને પ્રાર્થનાની સવલત મળવી જોઇએ. પરંતુ કોઇને બીજાના અધિકાર પર તરાપની છૂટ નહિ મળે.

તેમણે Dated 10/12/21 શુક્રવારે જણાવ્યું હતું કે, “લોકો તેના ધાર્મિક સ્થળે પ્રાર્થના કરે તેની સામે અમને કોઇ વાંધો નથી, પણ તેના માટે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે એ સ્વીકાર્ય નથી. આ મુદ્દે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અસર થવી જોઇએ નહીં  અથવા કોઇ તણાવ પણ ઊભો થાય એ યોગ્ય નથી. અમને જાણ થઈ છે કે કેટલાક જૂથો વચ્ચે બેઠક થઈ હતી અને જાહેર પ્રાર્થના માટે અમુક સ્થળો ફાળવાયા હતા પણ અમે તાત્કાલિક અસરથી આ નિર્ણય રદ કરીએ છીએ. આગામી સમયમાં સંમતિથી આ સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરાશે.”