CIA ALERT
23. April 2024

apne apne ram Archives - CIA Live

May 17, 2022
cia_multi-1280x1045.jpg
1min669

વીર નર્મદ યુનિવર્સિટીના પટાંગણમાં 20-21 મે એ કવિ, સાહિત્યકાર કુમાર વિશ્વાસ અપને અપને રામની સંગીતમય પ્રસ્તુતિ કરશે

સુરત, તા.16

ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવન પર આધારિત “અપને અપને રામ” કાર્યક્રમનું આગામી 20 અને 21મી મેના રોજ સુરતના ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી આપતા જાણિતા સી.એ. હરી અરોરા તેમજ અન્યોએ જણાવ્યું હતું કે રામકથાની સંગીતમય ઢબે આકર્ષક પ્રસ્તુતી મર્મજ્ઞ જાણિતા કવિ કુમાર વિશ્વાસ દ્વારા રજૂ કરવામાં આવશે.

કુમાર વિશ્વાસની સાથે ટેલિવિઝન અને ગીત સંગીતની દુનિયાની જાણિતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહીને ભગવાન શ્રી રામના મહિમાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કાર્યક્રમ સ્થળે 25000 સ્કેવર ફૂટ વિસ્તારમાં અયોધ્યા ખાતે નિર્માણાધિન રામ મંદિરની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમ બિલકુલ નિશુલ્ક યોજવામાં આવ્યો છે. કોઇપણ વ્યક્તિ આ કાર્યક્રમમાં બન્ને દિવસ ઉપસ્થિત રહી શકે છે.