સુરતમાં વેપારીઓએ રસી લીધાના બોર્ડ મૂકવા પડશે

Share On :

શહેરમાં ૪૫ વર્ષથી વધુના તમામ વેપારીઓ માટે પાલિકાએ રસી ફરજિયાત કરી દેવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. દુકાન, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રીઝ તેમ જ ટેક્સટાઇલ અને હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારીઓ અને કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે. વૅક્સિન લીધા બાદ દુકાન બહાર પહેલો ડોઝ લીધો હોવાના બોર્ડ પણ લગાવવા પડશે. જે વેપારીઓ કે કર્મચારીઓ દ્વારા વૅક્સિન લેવામાં નહીં આવે તેમને કાપડ બજાર કે હીરા બજારમાં પ્રવેશ પર

પણ પ્રતિબંધ લગાવાયો છે. આ માટે પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમો પણ ચેકિંગ માટે તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત આ તમામ બજારોમાં ૪૫ વર્ષથી ઓછીની ઉંમરના વેપારી અને કર્મચારીઓના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હશે તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. કાપડના ૨૨ ટૅક્સટાઇલ માર્કેટમાં વૅક્સિન સેન્ટર પણ શરૂ કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. સોમવારથી અહીં ટેસ્ટ અને વૅક્સિનની કામગીરી શરૂ કરવામાં આવશે. તમામ સ્થળોએ સુરત મહાપાલિકાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરાશે. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતાં જણાય તો હુકમનો અનાદર કરનારની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ -૧૮૮ તથા એપેડેમીક ડિસિઝ ઍક્ટ-૧૮૯૭ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સુરત શહેરના તમામ દુકાનદારો, કરિયાણા, મોલ, મલ્ટિપ્લેક્સ, ઇન્ડસ્ટ્રી, ટૅક્સટાઇલ માર્કેટ, હીરા બજાર અને હીરા યુનિટના તમામ વેપારી-કર્મચારીને લાગુ પડશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :