CIA ALERT

Surat : વરાછા-કતારગામ વિસ્તારના પાનના ગલ્લા 7 દિવસ ફરજિયાત બંધ

Share On :
CIA Live यांनी वर पोस्ट केले शुक्रवार, ३ जुलै, २०२०

સુરતમાં બેકાબુ કોરોનાને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેવામાં આજે સુરત મ્યુનિસિપલ કમિશનરે બંછાનિધિ પાનીએ ગુજરાત રાજ્ય એપેડેમિક ડીસીઝ એક્ટ 1897ની કલમ 2-3-4ના આધારે સુરત મહાનગરપાલિકાના નોર્થ ઝોન (કતારગામ), ઈસ્ટ ઝોન (વરાછા-A) અને ઈસ્ટ ઝોન (સરથાણા-B)માં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પાનના લારી/ગલ્લા તથા પાનની દુકાનો 7 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અન્ય વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ પર 4થી વધારે લોકોની ભીડ ન કરવા અને જાહેરમાં થૂંકવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.

સુરતમાં આવેલા તમામ પાનના ગલ્લા/ લારી તથા પાનની દુકાનમાં લોકોની ભીડ થાય છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવતું નથી. ઘરથી બહાર નીકળતા લોકો જાહેરમાં માસ્કનો ઉપયોગ કરવાનું પણ ટાળી રહ્યા છે. આ ઉપરાંત પાન મસાલા ખાઈને લોકો જાહેરમાં જ થૂંકતા નજરે પડે છે. જેથી કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે ફેલાઈ રહ્યું છે. જેથી શહેરના મ્યુનિસિપલ કમિશનરે ઉપરોક્ત વિસ્તારોમાં પાનના ગલ્લા, દુકાનો અને લારીઓ 7 દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :