CIA ALERT

જગન્નાથપુરીની રથયાત્રા પર સુપ્રીમનો BAN, અમદાવાદની રથયાત્રા સામે પણ જાહેરહિતની અરજી

Share On :

સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાને રાખીને આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથની પૂરી ખાતે યોજાતી રથયાત્રા પર પ્રતિબંધ મૂકવા સંદર્ભનો આદેશ આપ્યો છે.

સુપ્રિમ કોર્ટમાં CJI શરદ અરવિંદ બોબડેએ આ પ્રતિબંધ લાદતા ટાંક્યું હતું કે આ વર્ષે રથયાત્રાને મંજુરી આપવામાં આવશે તો ભગવાન અમને ક્યારેય માફ નહી કરે. મહામારીના સમયમાં એવા આયોજન ન થવા જઈએ જેનાથી લોકોના આરોગ્યને ખૂબ મોટાપાયે નુકસાન પહોંચવાની શક્યતા હોય. આ વખતે 23 જુલાઈના રોજ શ્રી જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નીકળવાની હતી. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર બનશે જ્યારે જગતના નાથ નગરચર્યાએ નહી નીકળે.

અમદાવાદની યાત્રા પર ગુજરાત હાઇકોર્ટમાં પબ્લિક રીટ

બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા સામે PIL થઈ છે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. પુરી સિવાય બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જગન્નાથ મંદિરેથી નીકળે છે. રાજ્ય સરકારે રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી કર્યો. જોકે, મંદિરના સંચાલકોનું કહેવું છે કે સરકાર પરવાનગી આપશે તો રથયાત્રા નીકળશે. જોકે, આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે PIL કરાઈ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :