વધુ એક IITયનની આત્મહત્યા, જોગેશ્વરીની હોટેલમાંથી IITના વિદ્યાર્થીની ડેડ-બૉડી મળી
જોગેશ્વરીમાં SV રોડ પર આવેલી ટ્રિબો હોટેલ્સના રૂમમાંથી તા.2જી સપ્ટેમ્બર 2018ના રોજ સવારે ૧૧ વાગ્યે બાવીસ વર્ષના MTechના વિદ્યાર્થી જયદીપ સ્વેઇનની ડેડ-બૉડી મળી આવી હતી. આ સાથે જ આઇઆઇટી જેવી સંસ્થામાં અભ્યાસ કરતા વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીએ પોતાનું જીવન રહસ્યમયી સંજોગોમાં ટૂંકાવી દીધું છે.
આંબોલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત ગાયકવાડે જણાવ્યું હતું કે જયદીપ સ્વેઇન પવઈની IIT કૉલેજમાં MTechના પહેલા વર્ષમાં ભણતો હતો અને ત્યાં જ હૉસ્ટેલમાં રહેતો હતો. જયદીપ ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેણે જોગેશ્વરીની હોટેલમાં ગઈ કાલે સવારે જ ચેક-ઇન કર્યું હતું.
વધુ મળતી જાણકારી મુજબ જયદીપ સ્વેઇન મૂળ છત્તીસગઢ વતની હોવાનું જાણવા મળે છે. પોલીસે તેના પરિવારજનોને તેની આત્મહત્યા અંગે જાણકારી આપી હોવાનું જાણવા મળે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
