CIA ALERT

ધો.10-12માં ઘરે બેઠાં કોર્સ પૂરો !! પેરેન્ટ મિટીંગોમાં સ્કુલોની ઘોષણા : એક પણ દિ સ્કુલ ગયા વગર પરીક્ષામાં બેસશે વિદ્યાર્થીઓ

Share On :
Is student-on-teacher violence on the rise in Ontario? | TVO.org
ઇતિહાસમાં પહેલી વખત ખાલી ક્‍લાસે બોર્ડના વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરી થઇ ગયો. વર્ચ્‍યુઅલ દુનિયા માટે આ સૌથી મોટી જીત કહેવાય રહી છે પણ વિદ્યાર્થીઓની કારકિર્દીને નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. કોરોનાકાળમાં વાલીઓએ થોડી હિંમત દર્શાવી હોત તો બાળકોને પ્રત્‍યક્ષ શિક્ષણ ભલે 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થ પર મળ્‍યું હોત તો એ લેખે લાગત. કોરોનાના ભયમાં હવે બાળકો   પ્રત્‍યક્ષ રીતે પરીક્ષા આપશે, પણ પ્રત્‍યક્ષ શિક્ષણ લીધા વગર.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડિસેમ્‍બરની 15મી તારીખ પૂરી થતાં જ ગુજરાતની મોટા ભાગની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ ધો.10 અને ધો.12માં પાઠયક્રમના તમામ ચેપ્‍ટર પૂર્ણ થઇ ગયાની જાહેરાતો સંભળાવા માંડી. કેટલીક સ્‍કુલોમાં 20 અને બાકીની બધી સ્‍કુલોમાં તા.25મી ડિસેમ્‍બર સુધીમાં કોર્સ પૂરો કરી દેવાશે એવા અહેવાલો મળ્‍યા, આヘર્યની વાત એ છે કે 2020-2021ના વર્ષમાં એક પણ દિવસ સ્‍કુલો ગયા વગર વિદ્યાર્થીઓનો કોર્સ ઘરે બેઠા ઓનલાઇન પૂરી થઇ ગયો છે. વાલીઓ, માબાપ ભલે માને કે બાળકો ઓનલાઇન અભ્‍યાસ કર્યો પરંતુ, તેમની કારકિર્દીને આ પ્રકારના અભ્‍યાસથી નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. ધો.10-12 અભ્‍યાસના મહત્‍વના પડાવ છે, શાળાકીય પ્રત્‍યક્ષ શિક્ષણ વગર બોર્ડનો સિલેબસ પાર કરી દેવાયો એ એક આશ્વાસનથી વિશેષ કંઇ નથી. જે વિદ્યાર્થીઓ મૌલિક રીતે અભ્‍યાસ કરે છે તેઓ આ નુકસાનીને રિકવર કરી લેશે પરંતુ, જે વિદ્યાર્થીઓ એવરેજ છે, છેવાડાના વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12માં કશું ભણ્‍યા જ નથી તેવી સ્‍થિતિ છે, હવે સીધી બોર્ડની પરીક્ષામાં બેસશે.

હવે સ્કુલો શરૂ થશે તો પણ રિવિઝન કરાવવું પડશે, દસેક ટકા સ્કુલોએ ગંભીરતાથી ઓનલાઇન અભ્યાસ કરાવ્યો, બાકી બધે વિડીયોએ ભણાવ્યા

માની શકાય કે કોરોના કાળને કારણે શાળાઓ શરૂ થઇ શકી નથી પરંતુ, જો વાલીઓ સજાગ હોત તો શાળાઓમાં 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થથી જે પ્રત્‍યક્ષ અભ્‍યાસ કરવાનું મળ્‍યું હોત તો એ લેખે લાગત. પરંતુ, કોરોના કાળમાં વાલીઓનો અભિગમ એવો રહ્યો કે કોરોના બાળકોને થઇ જશે એટલે મોટા ભાગના વાલીઓએ નનૈયો ભણી દીધો. કેટલાક જાગૃત વાલીઓ ફક્‍ત એવો અભિપ્રાય વ્‍યક્‍ત કરતા રહ્યા કે બાળકોમાં કોરોનાના કેસો સાવ ઓછા જોવા મળ્‍યા છે, પરંતુ, તેઓ જાહેરમાં આવીને લિડરશીપ લઇ શક્‍યા નહીં. કેટલાક વાલીઓએ તો પૂરેપૂરી ફી ભરવાની થાય એ નિવારવા માટે સ્‍કુલો નહીં શરૂ કરવી જોઇએ એવા અભિયાનમાં જોડાઇ ગયા.

બીજી તરફ સરકાર અને સ્‍કુલ સંચાલકોને તો જોઇતું જ હતું કે વાલીઓ મગનું નામ મરી પાડે. વાલીઓના અભિગમથી વાકેફ સરકારે પણ સ્‍કુલો શરૂ કરવાની ના પાડી દીધી અને પરીણામ એ આવ્‍યું કે બોર્ડના વિદ્યાર્થીઓનું આખું વર્ષ પૂラરું થઇ ગયું અને એ પણ ઘરે બેઠા.

ડિસેમ્બર અડધો મહિનો પૂરો થતાં જ શાળાઓએ પેરેન્ટ મિટીંગમાં કોર્સ પૂરો થયાની ઘોષણાઓ કરવા માંડી

શહેરની એક ખ્યાતનામ સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું કે આમેય જાન્યુઆરી માસમાં ધો.12 સાયન્સમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવાનું પ્રી શિડ્યુલ હતું જ, એટલે ઉચ્ચતર માધ્યમિક સાયન્સની શાળાઓમાં ધો.11નો કોર્સ ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરો કરીને ધો.12નો અભ્યાસ ફેબ્રુઆરી માર્ચમાં જ શરૂ કરી દેવાતો હોય છે. સ્વાભાવિક છે કે ડિસેમ્બરમાં મોટા ભાગની સ્કુલોમાં કોરોનાકાળ ન હોત તો પણ અભ્યાસક્રમ તો પૂરો થઇ જ જતો હોય છે. આગામી જાન્યુઆરી માસમાં મોટા ભાગની શાળાઓમાં પ્રીલિમનરી પરીક્ષાઓ લેવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :