SRKના ગોવિંદ ધોળકીયાની પ્રેરક વાતો : નાહકની રખડપટ્ટીથી કોરોના ફેલાય છે : See Full Video
Jayesh Brahmbhatt 98253 44944
સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.

સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.
ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો
શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.
અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.
સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
