નોટબંધી એ એક કૌભાંડ હતું: કપિલ સિબ્બલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કરાયેલી નોટ બંધીએ એ કાળાં નાણાં ધોળા કરવાનું એક કૌભાંડ હોવાનો સૂર કૉંગ્રેસના રાષ્ટ્રીય નેતા કપિલ સિબ્બલે કાઢ્યો હતો. અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 8મી નવેમ્બર,2016 ના રોજ વડા પ્રધાન દ્વારા રૂ.500/- અને રૂ.1000/- ની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે.
આ નિર્ણયને પરિણામે અમીરો તેમના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવી શક્યા. જ્યારે ગરીબોની પરસેવાની કમાણી અન્યાયી રીતે સ્થગિત કરી દેવામાં આવી. નોટબંધીથી અમીરોને કેવી રીતે લાભ થયો તે અમે આજે આપને બતાવ્યું છે. આ ઘટના અમદાવાદમાં જ બની હતી. વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે. તે દેખીતી રીતે જ ભાજપની નિકટની વ્યક્તિ છે. તે કદાચ ભાજપની સભ્ય પણ હોઈ શકે છે. આ વ્યક્તિ, 31 ડિસેમ્બર, 2016 પછી અન્ય સાગરીતોની સાથે કરોડો રૂપિયાના બિનહિસાબી નાણાંને હિસાબી નાણામાં ફેરવવાનું કૌભાંડ ચલાવી રહી હતી. આપ વિડીયોમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના પરથી આ બાબત સ્પષ્ટ થાય છે. આ હેરાફેરીની પ્રક્રિયામાં રાજકારણીઓ, બેંકર્સ, દલાલો અને અન્ય વ્યક્તિઓ સંકળાયેલી હશે જ. આ નાણા બદલી આપવાની કામગીરીમાં સંડોવાયેલાઓને 40 ટકા સુધીનું કમિશન આપવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં રૂપિયા પાંચ કરોડની જૂની રદ થયેલી ચલણી નોટોના બદલામાં નવી રૂપિયા બે હજારની ત્રણ કરોડની ચલણી નોટો આપવામાં આવી હતી. આ ઘટનામાં આપ ચલણી નોટોની થપ્પાઓની જે દીવાલ જોઈ રહ્યા છો. તેના પરથી આપને આ કૌભાંડ કેટલું વ્યાપક હતું. તેનો અંદાજ આવી જશે. આ પ્રકરણ ગુજરાતના એક સ્થળનું છે. આવી અન્ય અનેક ઘટનાઓ ગુજરાતમાં જ તેમ જ ગુજરાત બહાર પણ બની જ હશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now