CIA ALERT

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે શિરડી સાઇબાબા મંદિર આખી રાત ભક્તજનો માટે ખુલ્લું રહેશે

Share On :

ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં સૌથી વિશાળ ભક્તવર્ગ ધરાવતા શિરડીવાલે સાઇબાબા મંદિરમાં ભક્તજનો માટે ખાસ પ્રસંગો, તહેવારો નિમિત્તે વધુને વધુ લોકો દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ નિયમિત રીતે ગોઠવાતી હોય છે. આવી જ રીતે આગામી થર્ટી ફર્સ્ટ નાઇટે આખી રાત શિરડી સાઇ મંદિર ભક્તજનો માટે ખુલ્લું રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

SHIRDI SAI BABA SAMADHI

24 કલાક ખુલ્લુ રહેશે શિરડીનું મંદિર

શ્રી સાંઈ સંસ્થાન ટ્રસ્ટ, શિર્ડી તરફથી ૩૧ ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગત માટે શિર્ડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિર્ડી મહોત્સવ નિમિત્તે લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખતાં અને તમામ ભક્તો બાબાના આર્શીવાદ લઈ શકે એ માટે ૩૧ ડિસેમ્બરે આખો દિવસ અને આખી રાત મંદિરનાં દ્વાર ખુલ્લાં રાખવામાં આવશે જેથી ભક્તો બાબાનાં દર્શન કરી શકે.

શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી રૂબલ અગ્રવાલે જણાવ્યું હતું કે ‘૨૦૧૮ની વિદાય અને ૨૦૧૯ના સ્વાગત નિમિત્તે સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડીમાં મોટા પ્રમાણમાં ભાવિકો આવશે. જોકે, ૩૧મીએ રાત્રે મંદિર ખુલ્લું રહેશે એટલે પહેલી તારીખે સવારે મળસકે થતી કાકડ આરતી રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર સુધી રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :