જાણો શરદ પૂર્ણિમાનો મહિમા, આવતીકાલ બુધવારની રાત્રે છે શરદ પૂનમ
ભારતીય સંસ્કૃતિના અનેક શાસ્ત્રોમાં કરાયેલા નિર્દેશ અનુસાર શરદ પૂનમની મધ્યરાત્રિ બાદ માતા મહાલક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર બેસીને ધરતીની સુંદરતાનો આનંદ લે છે. તેઓ પૃથ્વીનો વિહાર કરતા હોવાની ચર્ચા દરેક ગ્રંથોમાં જોવા મળે છે. આ દિવસે દેશના અનેક વિસ્તારોમાં લક્ષ્મી પૂજનનો મહિમા હોય છે.

શરદ પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. ચંદ્રની રોશનીમાં જાણે ધરતી પણ ચાંદીની દેખાય છે. લાગે છે જાણે ચોમાસા બાદ કુદરત સ્વચ્છ અને નયનરમ્ય થઈ ગઈ છે. કહેવાય છે કે આ ચાંદનીમાં માતા લક્ષ્મી પૃથ્વીની મુલાકાતે આવે છે.
શરદ પૂનમ આવતીકાલ તા.24 ઓક્ટોબર 2018ને બુધવારે છે.

શરદ પૂનમે થયો હતો માતા લક્ષ્મીનો જન્મ
1. માન્યતા છે કે માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમના દિવસે થયો હતો. એટલે જ દેશના કેટલાક ભાગમાં શરદ પૂનમના દિવસે લક્ષ્મી પૂજન પણ થાય છે.

શરદ પૂનમના દિવસે રાસલીલા
2. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. ત્યારે માતા લક્ષ્મી પણ રાધા રૂપે અવતર્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની આ અદભૂત રાસલીલાનો પ્રારંભ શરદ પૂર્ણિમાના દિવસે થયો હોવાની માન્યતા છે.
કુમાર કાર્તિકેયનો જન્મ
3. શિવ ભક્તો માટે પણ શરદ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. માન્યતા છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયનો જન્મ પણ શરદ પૂનમના દિવસે થયો હતો. જેને કારણે શરદ પૂનમને કુમાર પૂર્ણિમા પણ કહેવાય છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આ દિવસે કુંવારિકાઓ સ્નાન કરીને સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. માન્યતા છે કે આમ કરવાથી યોગ્ય પતિ મળે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


