CIA ALERT

આજે SGCCIનો 81મો સ્થાપના દિન : ફક્ત સુરતમાં નહીં સમગ્ર સધર્ન ગુજરાતમાં ચેમ્બર ઓફ કોમર્સની પ્રેઝન્સ જોવા મળશે : દિનેશ નાવડીયા

Share On :

Jayesh Brahmbhatt 98253 44944

ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ SGCCI ના વર્તમાન અધ્યક્ષ શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમ આજરોજ તા.21મી ઓક્ટોબરે SGCCIનો 81મો સ્થાપના દિન શાનદાર રીતે ઉજવી રહી છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના સ્થાપના દિને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખો સમેત ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે સ્નેહમિલન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

SGCCI has a strong base of more than 9000+ direct members, 100+ associations & indirect membership more than approx 65,000+ from a wide spectrum of trade and industry.

સ્થાપના દિને પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાએ સંકલ્પ વ્યક્ત કર્યો

SGCCI સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ કહ્યું કે SGCCI એ સધર્ન ગુજરાત, સમગ્ર દક્ષિણ ગુજરાતનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા છે. 81મા સ્થાપના દિને મારી ટેન્યોરે મેં અને મારી ટીમે સંકલ્પ કર્યો છે કે SGCCIની પ્રેઝન્સ એકલા સુરત શહેર કે જિલ્લામાં નહીં અને એકલા ટેક્સટાઇલ, ડાયમંડ કે બાંધકામ ઉદ્યોગમાં નહીં બલ્કે દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર પામેલા દરેક પ્રકારના ઉદ્યોગો, ધંધાઓ, રોજગારોના પ્રશ્નોના નિરાકરણોમાં, નવીનતમ તકો સર્જવામાં, કામદારોના વેલ્ફેર વગેરેમાં જોવા મળશે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સ દરેક પ્રકારના ઉધોગ ધંધાના વેલ્ફેર માટે, પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છે. ચેમ્બરનું પ્લેટફોર્મ દરેક ઉધોગધંધાના વિકાસ માટે ઉપલબ્ધ બને એ માટે દક્ષિણ ગુજરાતમાં તબક્કાવાર રીતે તમામ ઉદ્યોગ ધંધાઓને સાંકળી લઇને આખું નેટવર્ક ઉભું કરવામાં આવશે.

આજે ચેમ્બરનો ૮૧મો સ્થાપના દિવસ.૨૧ ઓક્ટોબર, ૧૯૪૦ના રોજ માત્ર ૧૬ સભ્યોથી શરૂ થયેલી ચેમ્બર ઓફ કોમર્સ આજે ૯૫૦૦થી વધુ સભ્યો ધરાવે છે અને ૧૫૦થી વધુ એસોસિએશનોનું પીઠબળ ધરાવે છે. આ નિમિત્તે બુધવાર, તા. ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સાંજે ૬:૦૦ કલાકે પ્લેટીનમ હોલ, સુરત એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ચેમ્બરના હયાત તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને સ્વર્ગસ્થ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓના પરિવારજનોનો સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૮૧ મા સ્થાપના દિન નિમિત્તે ૮૧ નવા સભ્યો ચેમ્બરમાં ઉમેરાશે. પરંતુ સભ્ય બનવા માટેનો ઉત્સાહ તેની પરાકાષ્ઠાએ હોવાને કારણે ૧૧૨ આજીવન સભ્યો, ૧ પેટ્રન સભ્ય અને ૩ વાર્ષિક સભ્યો આમ કુલ ૧૧૬ સભ્યોને વિધિવત પ્રવેશ આપવામાં આવશે.

આ પ્રસંગે વાત કરતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે કોઈપણ સંસ્થાની મજબૂત ઈમારતના પાયામાં તેના શિલ્પીઓનો ફાળો ખૂબ અગત્યનો અને મહત્વનો રહેતો હોય છે. આજે તો ચેમ્બર ૪૦થી વધુ સભ્યોનો સ્ટાફ ધરાવે છે પરંતુ એક સમય એવો હતો જયારે માત્ર ત્રણ કર્મચારીઓ સાથે આ ચેમ્બરનું સંચાલન થતું હતું. પરંતુ જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ચેમ્બરની પ્રવૃત્તિઓ વિસ્તરતા આવક વધતી ગઈ અને તેને કારણે સ્ટાફ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધતું ગયું. જેના કારણે આજે આ નાનકડો છોડ મોટું વૃક્ષ બની ગયું છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતીએ આ દિવસે પોતાના દિલની વાતો કરતા જણાવ્યું હતું કે આ ચેમ્બર એક એવી ચેમ્બર છે કે ૮૦ વર્ષ પૂરા થઇ ગયા હોવા છતાં પણ તેને રાજકીય રંગ લગાડવાનો પ્રયાસ કોઈએ કર્યો નથી. એટલું જ નહિ, રાજકીય પક્ષોએ પણ પુખ્તતા રાખીને ચેમ્બરમાં રાજકારણને લાવવાનો પ્રયાસ કર્યો નથી. તેથી આ ચેમ્બર સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સર્વસ્વીકૃત બિનરાજકીય ઔદ્યોગિક સંગઠન બની શકી છે.

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું….

ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નિખિલભાઈ મદ્રાસીએ જણાવ્યું હતું કે સંસ્થાના સ્થાપના કાળના મહાજનોએ સંસ્થાને આર્થિક રીતે પગભર કરવા માટે ફરી ફરીને પોતાની ઝોળીઓ ફેલાવી હતી. એટલે એમના પ્રદાનને ક્યારેય પણ ભૂલી શકાય જ નહિ. ચેમ્બરે એક્ઝીબીશનની શરૂઆત વનિતા વિશ્રામના પ્રાંગણમાંથી કરી હતી અને ત્યારે સ્ટોલ ભેગા કરવા માટે તે સમયના પ્રમુખ અને હોદ્દેદારો સંસ્થાએ સંસ્થાએ ફરતા અમોએ જોયા છે. અનેક તકલીફો વચ્ચે જાતે શારીરિક શ્રમ કરીને આ એક્ઝીબીશનોને સફળ બનાવવાના પ્રયત્નો થયા હતા. જેને કારણે આજે સમગ્ર ભારતના એકમાત્ર ૧,૧૬,૦૦૦ સ્ક્વેર ફૂટના પિલરલેસ ડોમમાં અમો એક્ઝીબીશનનું આયોજન કરી શકીએ છીએ. જેને માટે ભૂતકાળના શિલ્પીઓએ નાંખેલો મજબૂત પાયો જવાબદાર છે.

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું

ચેમ્બર ઓફ કોમર્સના વર્તમાન ખજાનચી શ્રી મનીષભાઈ કાપડિયાએ જણાવ્યું હતું કે અમે તો ખૂબ યુવાન છીએ. અમે અમારા વડીલોને કામ કરતા જોઈ જોઇને શીખ્યા છે. અને એમના રસ્તે આગળ વધી રહ્યા છીએ. સંસ્થાન સ્થાપના કાળના મહાનુભાવોએ કરેલા સંઘર્ષની અમે કલ્પના પણ નથી કરી શકતા. માત્ર આ તકે તેઓને લાખ લાખ સલામ કરીએ છીએ. જેઓ સ્વર્ગસ્થ થયા છે તેઓના આશીર્વાદ અમોને અવિરત મળ્યા જ કરે અને જેઓ હજી પણ કાર્યરત છે તેવા ભૂતપૂર્વ પ્રમુખો અમને પ્રેરણાના પીયુષ સતત પૂરા પાડ્યા જ કરે એવું અમો ઈચ્છીએ છીએ.

સ્થાપના દિને યોજાયો સ્નેહમિલન સમારોહ

SGCCIના આજે 81માં સ્થાપના દિવસે ચેમ્બરના વર્તમાન વહીવટકર્તાઓ પ્રમુખ શ્રી દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ શ્રી આશિષ ગુજરાતી, સેક્રેટરી શ્રી નિખીલ મદ્રાસી અને ખજાનચી શ્રી મનિષ કાપડીયા અને તેમની ટીમ દ્વારા ચેમ્બરના માનવંતા પૂર્વ પ્રમુખો તેમજ ગણ્યમાન્ય ઉદ્યોગપતિઓ સાથે એક સ્નેહમિલન સમારોહનું આયોજન સાંજે કર્યું છે.

Principal Objectives

The Southern Gujarat Chamber of Commerce and Industry shall strive to be a world class Chamber of Commerce by:

  • Representing views of Trade and Industry to various levels of Government
  • Networking Global Trade and commerce to benefit  members.
  • To promote Quality Systems in the Trade and Industry that meet world class levels and standards.
  • Promoting Trade and Industry Internationally through linkages.
  • Instituting Recognition Schemes for Individuals and Companies to promote excellence.
  • To upgrade technical know-how in the Trade and Industry through various Seminars, Conferences and Workshops.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :