બાળકોના દફતરનું વજન કેટલું હોવું જોઇએ? જો વધારે હોય તો સ્કુલને વંચાવો આ News
વર્ષોથી નહીં દાયકાઓથી ભારતમાં ભાર વિનાનું ભણતર કરવાની વાત ચાલે છે પણ હજુ સુધી તેનો અમલ થયો નથી, બલ્કે બાળકોના, ભૂલકાઓના દફતરનું ભારણ એટલું વધી ગયું છે કે ધો.1થી 3ના બાળકોને તો નાનપણમાં જ કમરના દુખાવાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પણ હવે સંભવ છે કે ભાર વિનાના ભણતરની અપેક્ષા સાકાર થાય તેમ છે. www.cialive.in સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પછી કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલયે દફતરનું ભારણ પ્રાથમિકના ધોરણ વાર કેટલું હોવું જોઇએ તેનું માપ દર્શાવતો પરિપત્ર દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના શિક્ષણ ખાતા જોગ જારી કર્યો છે www.cialive.in અને તેનો કડકાઇથી અમલ કરાવવાની સૂચના આપી છે.
માનવ સંસાધન મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ ગાઇડલાઈન જાહેર કરી છે. તે હેઠળ ધોરણ પ્રમાણે સ્કૂલબેગના વજનને પણ નક્કી કરવામાં આવ્યું છે. પત્રમાં સૂચના આપવામાં આવી છે કે આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવવો જોઇએ.

-
પરિપત્રમાં જણાવાયું છે કે
- ધો.1-2માં દફતરનું વજન દોઢ કિલોગ્રામથી www.cialive.in વધે નહીં
- ધો.3-5માં દફતરનું વજન 2 કિલો 300 ગ્રામથી વધવું જોઇએ www.cialive.in નહીં.
- ધો.6-7માં દફતરનું www.cialive.in વજન 4 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
- ધો.8-9માં દફતરનું વજન 4.6 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં
- ધો.10માં દફતરનું www.cialive.in વજન 5 કિલોગ્રામથી વધવું જોઇએ નહીં.
-
બીજી કઇ કઇ સૂચનાઓ છે સરક્યુલરમાં
- ધો.1-2ના વિદ્યાર્થીઓને શાળાઓએ હોમવર્ક આપવું જ નહીં
- પાંચમાં ધોરણ સુધી ભાષા અને ગણિત સિવાય www.cialive.in અન્ય વિષયો શાળાઓ દ્વારા આપવાના રહેશે નહીં.
- શાળાઓએ એક્સટ્રા વર્ક માટેની બુક્સ, નોટબુક્સ કે અન્ય સાહિત્ય મંગાવવાનો આગ્રહ રાખવાનો નથી
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયે 5 ઓક્ટોબર, 2018ના રોજ આ આદેશ જાહેર કર્યો હતો. રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આ આદેશને તાત્કાલિક અસરથી લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. www.cialive.in હવે આ સંબંધે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તરફથી શિક્ષણ વિભાગ અને સ્કૂલોને સર્ક્યુલર જાહેર કરવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી ગુજરાતમાં આ અંગે સહેજ પણ ચળવળ દેખાતી નથી. અમને જે સરક્યુલર મળ્યો છે એ કેન્દ્ર શાસિત પ્રદેશના નામનો છે. પણ આવો જ પરિપત્ર ગુજરાતમાં પણ આપવામાં આવ્યો છે પણ ગુજરાત સરકાર તેને પ્રાયોરિટીમાં લેતી ન હોવાનું હાલ તુરત જણાય રહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


