ખાસ્સી લોકપ્રિય બનેલી સુરત-શારજાહ ફ્લાઇટ 31/3/21 સુધી રદ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ નામને આધાર આપી રહેલી એકમાત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટ સુરત-શારજાહ વચ્ચેની એરઇન્ડિયાની ફ્લાઇટને તા.31મી માર્ચ 2021 સુધી રદ કરી દેવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત સુરત એરપોર્ટના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી આજરોજ તા.25મી નવેમ્બરથી કરવામાં આવી છે. સુરત-શારજાહ વચ્ચેની આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ખાસ્સી લોકપ્રિય બની હતી અને તેના ટિકિટના દર પણ સસ્તા હોવાને કારણે મહારાષ્ટ્ર અને સુરત સિવાયના ગુજરાતના યાત્રીઓ પણ દુબઇથી પરત આવવા માટે આ ફ્લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા હતા.
એક વર્ષ બંધ રહેશે ફ્લાઇટ
ગત માર્ચ 2020માં લોકડાઉનને કારણે સુરત શારજાહ વચ્ચેની ફ્લાઇટ બંધ થઇ હતી, હવે નવી ઘોષણા મુજબ તા.31મી માર્ચ 2021 સુધી આ ફ્લાઇટ બંધ રહેવાની હોઇ, હવે કમ્પ્લીટ એક વર્ષ માટે સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
