‘બનવું જોઈએ રામ મંદિર, સરકાર લાવે કાયદો’ : RSS
- રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે દશેરા પર્વે પોતાનો 93મા સ્થાપના દિવસની ઉજવણી કરી
- સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું
- નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે તા.18 ઓક્ટોબર 2018ને દશેરા પર્વે પોતાનો 93મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. ત્યારે નાગપુરમાં સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરાયું હતું. સંઘ પ્રમુખ મોહન ભાગવતની હાજરીમાં સ્વયંસેવકોએ પથ સંચલન કર્યું. આ દરમિયાન નોબેલ પુરસ્કારથી સન્માનિત સામાજિક કાર્યકર્તા કૈલાશ સત્યાર્થી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા. સ્થાપના દિવસ નિમિત્તે મોહન ભાગવતે પોતાના સંબોધનમાં રામ મંદિરથી લઈ ચીન સુધીના મુદ્દે નિવેદન આપ્યું.
છેલ્લા ઘણા સમયથી રામ મંદિરનો મુદ્દો ફરી ઉઠ્યો છે. ત્યારે આજે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ સરકારને સલાહ આપી દીધી છે. સંઘ પ્રમુખે કહ્યું, ‘રાજકારણને કારણે કેટલાક લોકો આ મુદ્દાને ખેંચી રહ્યા છે. રામ મંદિર હિન્દુ-મુસલમાન વચ્ચેનો પ્રશ્ન નથી. તે ભારતનું પ્રતીક છે. અને જે માર્ગે રામ મંદિરનું નિર્માણ શક્ય હોય તે માર્ગે મંદિર બનવું જ જોઈએ. સરકારે કાયદો બનાવીને રામ મંદિર બનાવવું જોઈએ’
તો પોતાના સંબોધન દરમિયાન મોહન ભાગવતે ફરી એકવાર ભારતને વિશ્વગુરુ બનાવવાની વાત દોહરાવી. સાથે જ મોહન ભાગવતે દેશના રાજકારણમાં સત્ય અને અહિંસાનું મહત્વ પણ દર્શાવ્યું. ભાગવતે કહ્યું કે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસાના આધારે રાજકારણની કલ્પના કરી હતી. જે અંગ્રેજો હંમેશા જીતતા હતા તેમની સામે હથિયાર વગર લડીને ગાંધીએ જીત અપાવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


