CIA ALERT

આજે 14/11/21ના મધરાતથી ગિરનારની પ્રતિકાત્મક લીલી પરિક્રમાનો શરૂ થશે

Share On :
ફાઇલ ફોટો. આ વખતે સતત બીજા દિવસે સામાન્ય જનતા માટે લીલીની પરિક્રમા બંધ રાખવામાં આવી છે. તા.14મી નવેમ્બરે મધરાતે ફક્ત 400 સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે.

ગિરિવર ગિરનારની લીલી પરિક્રમાનો આવતીકાલ તા.14/11/21ના મધરાતથી વિધિવત્ પ્રારંભ થશે પરંતુ આ વર્ષે કોરોના ગાઇડલાઇનને કારણે માત્ર 400 સાધુ-સંત દ્વારા જ પ્રતિકાત્મક પરિક્રમા હોવાથી તળેટી અને ગિરનારની ગોદ ખાલીખમ રહેશે.

આદિકાળથી યોજાતી લીલી પરિક્રમા કોરોના મહામારીને કારણે સતત બીજા વર્ષે ભાવિકો માટે બંધ રખાય છે. તેથી ભાવિકોમાં કચવાટ પ્રસર્યો છે પરંતુ માત્ર લોકોની સુખાકારી માટે સરકારે નિર્ણય કર્યો છે તેથી ભાવિકોએ પણ મનોમન પરિક્રમાંથી સંતોષ માન્યો છે.

14/11/21 મધરાતથી યોજાનાર પ્રતિકાત્મક પરિક્રમામાં માત્ર 400 સાધુ સંતો જ જોડાઈ શકશે. તેની વિગતો સાધુ સમાજ દ્વારા હજુ જાહેર કરાઈ નથી. દર વર્ષની માફક દેશના વિવિધ ભાગોમાંથી સાધુ સંતો તળેટીમાં’ પહોંચ્યા છે. સાધુ સંતોની સંખ્યા 400 સરકારે નિર્ધારિત કરી છે પણ આ સંખ્યા પૂર્ણ થાય તેવી સંભાવના ઓછી છે. સાધુ સંતો જ પરિક્રમા કરનાર હોવાથી તેઓની વહારે અન્નક્ષેત્ર પણ આવી શકે તેમ નથી. તેથી તેઓએ સીધો-સામાન સાથે લઈ જવો પડશે.

પરિક્રમામાં સાધુ સંતો સિવાય કોઈ ઘૂસે નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઉપરાંત પરિકમા માર્ગ ઉપર પણ વનતંત્ર દેખરેખ રાખશે અને ગેરકાયદે પ્રવેશનારાઓ સામે વન વિભાગ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હોવાથી જંગલમાં કોઈ ચોરીછૂપીથી પ્રવેશશે તો તેઓને કાયદાકીય સજા સહન કરવી પડશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :