CIA ALERT

મંદિરો ખુલશે પણ : પ્રસાદ નહીં : ઘંટનાદ નહીં : ગ્રંથ-પાદુકા સ્પર્શની મનાઇ

Share On :

8/6/20 : સોમવારથી ગુજરાતમાં ધાર્મિક સ્થળો, મૉલ્સ અને હોટલ્સ શરૂ થશે

ગુજરાતમાં આગામી સોમવાર એટલે કે તા. 8મી જુન 2020થી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક સ્થળો, શોપિંગ મૉલ્સ અને હોટલ્સ-રેસ્ટોરેન્ટસ અઢી મહિનાના લાંબા અંતરાય બાદ ફરીથી શરૂ થશે. જોકે, સરકારના જણાવ્યા અનુસાર આ સ્થળો પબ્લિક ગેધરિંગના સ્થળો હોઇ તમામ સ્થળોની મુલાકાત લેનારા લોકોએ સરકારે જાહેર કરેલા કેટલાક નિયમો અનુસરવા પડશે.

દર્શનાર્થી-પૂજારીઓ સમેત તમામ માટે માસ્ક ફરજિયાત

ગુજરાતમાં તા.8 જુનથી પુનઃ મંદિરો દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારના આદેશ અનુસાર મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન વગેરે ઉપરાંત પ્રસાદ વહેંચી શકાશે નહીં કે ક્યાંય સ્પર્શ કરી શકાશે નહીં. તસ્વીર સોશ્યલ ડિસ્ટન્સિંગથી દર્શન કરતા દર્શનાર્થીઓની છે. પ્રતિકાત્મક તસ્વીર

દર્શનાર્થીઓ માટેની આચારસંહિતા

  • ક્યાંયો અડવું નહીં, મૂર્તિ કે ગ્રંથને સ્પર્શ કરવો નહીં
  • મંદિરમાં ઘંટ વગાડવો નહીં
  • પગરખાં વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવો
  • ચરણામૃત કે પંચામૃત વહેંચી શકાશે નહીં
  • કોઇપણ પ્રકારનો પ્રસાદ વહેંચવો નહીં
  • માસ્ક પહેરીને જ મંદિરમાં જઇ શકાશે
  • સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે

રાજ્ય સરકારની એવી પણ સ્પેશિફિક ગાઇડલાઇન છે કે મંદિરોમાં દર્શન કરી શકાશે પરંતુ, દર્શનાર્થીઓમાં કોઇપણ પ્રકારનો કે કોઇપણ સ્વરૂપે પ્રસાદ વિતરણ કે વહેંચી શકાશે નહીં. પ્રસાદમાં ચરણામૃત પણ વહેંચી શકાશે નહીં. ભાવિકો ઘંટ પણ વગાડી નહિ શકે અને ધાર્મિક ગ્રંથને સ્પર્શ પણ નહિ કરી શકે.

મંદિરોમાં આ પ્રકારે પૂજારીઓ, સહકર્મચારીઓ વગેરેએ પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે. પ્રતિકાત્મક તસ્વીર

મંદિર, મસ્જિદ, ચર્ચ કોઇપણ ધાર્મિક સ્થળો માટે કડક ગાઇડલાઇન્સ

દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાનને કે અન્ય કોઇ સ્થળે હાથથી સ્પર્શ કરે નહીં એ પ્રકારની વ્યવસ્થા મંદિર મંડળોએ કરવાની રહેશે. પૂજા કરતી વખતે ઓછામાં ઓછું 7થી 8 ફૂટનું અંતર રાખવું પડશે. દર્શનાર્થીઓએ પોતાના પગરખાં ઘણું ખરું પોતાના વાહનોમાં જ મૂકીને મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે.

દર્શનાર્થીઓને ધાર્મિક સ્થળો પર, કે રેસ્ટોરન્ટ અને મોલમાં જનારા મુલાકાતીઓએ મોઢા પર માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જોઇએ, નહીં તો એમને મંદિર કે અન્ય પ્રીમાઇસીસમાં પ્રવેશ નિષેધ કરવાનો રહેશે.

મંદિર, મોલ્સ, રેસ્ટોરેન્ટ્સમાં સેનિટાઈઝેશન અને થર્મલ સ્ક્રીનીંગ જેવી પ્રક્રિયામાંથી પસાર થવુ પડશે. ધાર્મિક સ્થળોમાં પ્રવેશદ્વાર નજીક જ સેનેટાઈઝર રાખવુ પડશે.

કોરોનાને દૂર રાખવા માટે આ ગાઇડલાઇન્સ અનુસરો

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :