1/8/21થી ATM ચાર્જમાં વધારો કરવા રિઝર્વ બેંકની મંજૂરી

૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધુ વ્યવહાર માટે વધુ નાણાં ચૂકવવા પડશે
રિઝર્વ બૅંકે આવતા વર્ષની ૧લી જાન્યુઆરીથી ફ્રિ પર્મીસિબલ લિમિટ કરતાં એટીએમના વધારાના વ્યવહાર માટે વધુ નાણાં ચાર્જ કરવાની બૅંકોને પરવાનગી આપી છે.
આરબીઆઇના સકર્યુલરમાં જણાવ્યા અનુસાર બૅંકો હાલ ફ્રિ ટ્રાંઝક્શન લિમિટ કરતા વધારે ટ્રાંઝકશન માટે રૂ. ૨૦નો ચાર્જ લે છે, પણ ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી એ માટે રૂ. ૨૧નો ચાર્જ લઇ શકશે.
જોકે, ગ્રાહકો અત્યારની જેમ જ દર મહિને પોતાની બૅંકના એટીએમમાંથી પાંચ વખત મફત ટ્રાંઝક્શન (નાણાકીય અથવા બીનનાણાકીય)નો લાભ મેળવી શકશે. તેઓ અન્ય બૅંકના એટીએમમાંથી મેટ્રો સેંટર્સમાં ત્રણ વખત અને નોન-મેટ્રો સેંટર્સમાં પાંચ મફત ટ્રાંઝક્શન મફત ટ્રાંઝક્શનનો લાભ મેળવી શકશે.
આ સાથે બૅંકોને ૧લી ઑગસ્ટ, ૨૦૨૧થી નાણાંકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૧૫થી વધારીને રૂ. ૧૭ કરવાની અને બીનનાણાકીય ટ્રાંઝક્શન માટે ઇન્ટરચૅન્જ ફી રૂ. ૫થી વધારીને રૂ. ૬ કરવાની પરવાનગી આપવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
