RBI : રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.
શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.
વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.
દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
