લોકો ‘ચોકીદાર’ને ફરજમાંથી મુક્ત કરશે: રાહુલ
દેશના લોકોએ ચોકીદારને ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવી કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નવેસરથી આક્રમક પ્રહાર કર્યા હતા.
મોદીએ ચોકીદારની ભૂમિકા ભજવવાનું વચન આપીને લોકો પાસે મત માગ્યા હતા, પરંતુ તેઓ માત્ર અનિલ અંબાણીના ચોકીદાર બનીને રહી ગયા હોવાને કારણે હવે દેશના લોકોએ તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
આજની તારીખમાં ચોકીદારના ચહેરા પર ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હોવાનું રાહુલે કહ્યું હતું.
પરાજય, લોકો સામે ખુલ્લા પડી જવાનો અને એક વખત રાફેલ સોદાની યોગ્ય રીતે તપાસ શરૂ થશે પછી અનિલ અંબાણીની સાથેસાથે ચોકીદાર પોતે પણ જેલમાં જશે એવો ભય તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, એમ રાહુલે કહ્યું હતું.
મોદીજીને જેટલા પ્રયાસ કરવા હોય તેટલા કરી લેવા દો. બિહાર અને દેશના લોકોએ હવે તેમને ચોકીદારની ફરજમાંથી મુક્ત કરવાનો અને બીજી મુદત માટે તેમને ચૂંટી ન કાઢવાનો નિર્ણય લઈ લીધો છે, એમ રાહુલે કહ્યું હતું. બિહારમાં ભાજપ સત્તા પર હોવા છતાં મનમોહનસિંહના વડપણ હેઠળની યુપીએ સરકાર બિહારને સહાય કરવામાં એનડીએ સરકાર કરતા વધારે ઉદાર રહી હતી, એમ રાહુલે કહ્યું હતું. રાહુલે દાવો કર્યો હતો કે વર્ષ 2008માં જ્યારે કોશી વિસ્તારમાં પૂર આવ્યાં હતાં ત્યારે યુપીએ સરકારે બિહારને રૂ.100 કરોડ કરતા પણ વધુની સહાય કરી હતી, પરંતુ વર્ષ 2017માં બિહારમાં જ્યારે કુદરતી આફત આવી હતી ત્યારે મોદી સરકારે બિહારને પાંચ રૂપિયાની પણ મદદ નહોતી કરી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
