CIA ALERT

પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીનું નિધન

Share On :

પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીને ઉપરા ઉપરી ત્રણ હાર્ટ એટેક આવતા તેઓએ અંતિમ શ્વાસ ભર્યા છે. તેઓ કોરોના વાયરસથી પણ  સંક્રમિત હતા. મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે 10 ઓગસ્ટના રોજ મોડી રાત્રે તેમને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાહત ઈન્દોરીના પુત્ર સતલજે સોમવારે આ અંગેની જાણકારી આપી હતી. ત્યારબાદ ખુદ રાહત ઈન્દોરીએ પણ મંગળવારે સવારે આ વિશે ટ્વીટ કર્યું હતું. 

રાહત ઈન્દોરીએ સોમવારના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મને કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાતા કાલે મારો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓરબિંદો હોસ્પિટલમાં મને દાખલ કરવામાં આવ્યો છે. મારા માટે દુઆ કરજો કે હું જલ્દીમાં જલ્દી આ બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ શકું. અન્ય એક અપીલ એ છે કે, મને કે મારા ઘરના લોકોને ફોન કરીને તકલીફ ના આપવી, મારી તબિયતના સમાચાર તમને ટ્વિટર અને ફેસબૂક પર મળતા રહેશે. 

નોંધનીય છે કે રાહત ઈન્દોરી પ્રખ્યાત શાયર હતા, આ સાથે જ તેમણે બોલિવૂડમાં પણ કેટલાક ગીતો લખ્યા છે. તેઓ 70 વર્ષના હતા અને ડોક્ટરની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :