Punjab Politics : નવી પાર્ટી બનાવશે કેપ્ટન અમરિન્દર સિંહ
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંહે તા.19-10-21ને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.

અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.
અમરિન્દર સિંહે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


