CIA ALERT

Pride of Surat : સુરતના ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણના શિરે IMAની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની મોટી અને મહત્વની જવાબદારી

Share On :

મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ હતું ત્યારે પણ અને આજે પણ સુરતના ખ્યાતનામ ઓપ્થેલમોલોજિસ્ટ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ ન સિર્ફ ગુજરાત લેવલ પર બલ્કે ઇન્ડીયા લેવલ પર મહત્વની કામગીરીઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ કોલકાતા ખાતે મળેલી ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની સેન્ટ્રલ કાઉન્સિલની મિટીંગમાં આઇ.એમ.એ.ની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન તરીકેની મહત્વની કામગીરી સુરતના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને સોંપવામાં આવી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને તેમની આઇ.એમ.એ.માં નિયુક્તિ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. એ વેળાએ વીર નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડો.કશ્યપ ખરચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

વીર નર્મદ દક્ષિણ ગુજરાતના મેડીકલ એજ્યુકેશન ક્ષેત્રમાં પારદર્શક અને જડબેસલાક સિસ્ટમ સેટ કરવાનું શ્રેય જેના શિરે જાય છે, તેમના કાર્યકાળમાં થયેલી કામગીરીને પગલે આજે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડીકલ એજ્યુકેશનની ક્વોલિટીની પ્રશંસા થઇ રહી છે. તેમણે લેવડાવેલા કેટલાક નિર્ણયોનો અમલ રાજ્ય અને ભારતની અનેક યુનિવર્સિટીઓની મેડીકલ ફેકલ્ટીમાં થઇ રહ્યા છે એવા ડો. મહેન્દ્રસિંહને ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની મહત્વની કામગીરી સોંપવામાં આવી છે.

નિયુક્તિ બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા ડો.મહેન્દ્રસિંહે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે તેઓ નિષ્ઠાપૂર્વક જે પણ કામગીરી સોંપવામાં આવી છે તે પૂર્ણ કરવા માટે સજ્જ છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :