CIA ALERT

ગુજરાતમાં પર્યુષણ પર્વનો પ્રારંભ: દેરાસરોમાં ભગવાન મહાવીરને આંગી થયા

Share On :

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પર્યુષણનો આરંભ થઇ ગયો હતો. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો અમદાવાદ સહિત રાજ્યભરનાં નાના મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દોર જામ્યો હતો. ભગવાન મહાવીરને ફૂલ, રૂ, રેશમી દોરાવી માંડીને સોનું, હીરા, મોતીની આપર્ષ આંગી કરાયા હતા શહેરના તમામ સંદો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વનો ઉજવણીની રોનક છવાઇ હતી.

જૈન સમુદાયમાં આજથી એટલે કે, 6 સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પવાર્ધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું 8 દિવસનું પર્વ હોય છે. દર વર્ષ ચાતુર્માસમાં ઊજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમનો અંતિમ દિવસ સિદ્વિનો માનવામાં આવે છે. દરમિયાન આજથી શરૂ થયેલા પર્યુષણના પર્વમાં દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળી હતી. આજના પર્વને લઇને શહેરના દેરાસરોમાં સવારે 5 વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામર સ્ત્રોતનું પઠન ચાલુ થઇ ગયુ હતું. મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાળશે. આ સિવાય વિવિઘ સંધોમાં સિદ્વિતપ, શ્રેણી તપનું પણ આયોજન કરાયું છે.

આજના દિવસે સંધો, ઉપાશ્રયોમાં સવારથી વ્યાખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિબાવના કરાઇ હતી. જોકે, પર્યુષણના આજના દિવસે પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો મહિમા હોય. હવે સંવત્સરી સુધી રોજે રોજ ફૂલ, રૂ, રેશમી દોરા, સોનું, હીરા-માણેક, મોતીની આંગી કરાઇ હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :