ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટેશન ફોર્મ્યુલા લાગૂ કરી શકાય નહીં : BJP ચીફ CR પાટીલની ક્લીયરકટ વાત
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાની ચિંતન બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તા.13મી ડિસેમ્બર 2020ના રોજ ભાજપાના સુપ્રીમો સી.આર. પાટીલે એક વાત સાફ કરી દીધી હતી કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓ સમેત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનારી આગામી ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટેશનની ફોર્મ્યુલા લાગૂ કરી શકાય નહીં. તેમણે આ મુદ્દે ઉમેરતા કહ્યું કે કેટલાક ચોક્કસ ધોરણો લાગૂ થશે જેમકે કોઇ સભ્યની વય વધુ હોય અગર તો વોર્ડ સીમાંકનમાં પ્રતિનિધિત્વ નીકળી જતું હોય તો તેવા ક્રાઇટેરિયા લાગૂ કરવામાં આવશે એવો તેમનો સાફ સંકેત હતો.
ઉમેદવારોની પસંદગીને સમતોલ બનાવાશે એવી હીંટ આપતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં દરેક જ્ઞાતિ, સમાજને વસતિને અનુરૂપ પ્રાધાન્ય મળે તેવા હરએક પ્રયાસો કરવામાં આવશે.
BJP સુપ્રીમો સી.આર. પાટીલે શું કહ્યું સાંભળો અહીં
કેન્દ્ર અને રાજ્ય સરકારના કામોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો વ્યૂહ
સી.આર. પાટીલે કહ્યું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને ગુજરાતમાં વિજયભાઇ રૂપાણીની સરકારે એટલી બધી યોજનાઓ લાગૂ કરી છે કે એ લોકો સુધી પહોંચાડીશું એટલે જ ભાજપાનો વિજય નિશ્ચિત બની જશે. બન્ને સરકારોએ સામાનય લોકો માટે સેંકડો યોજનાઓ અમલમાં મૂકી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


