સરકારી નોકરી માટે ભારતમાં હવે લેખિત પરીક્ષા જ લેવાશે : ઈન્ટરવ્યૂ પ્રથા બંધ
દેશના ર3 રાજયો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો (યૂટી) માં સરકારી નોકરીઓમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવાઈ છે. સરકારી નોકરીમાં પસંદગીનો આધાર લેખિત પરીક્ષાને બનાવવામાં આવ્યો છે. કાર્મિક બાબતોના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે શનિવારે કહ્યું ર016 બાદથી કેન્દ્ર સરકારમાં ગ્રુપ-બી (નોન ગેઝેટેડ) તથા ગ્રુપ-સી પદો માટે ઈન્ટરવ્યૂ બંધ કરી દેવામાં આવ્યા છે.
વર્ષ 2015 સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરવા સૂચન કરી લેખિત પરીક્ષાને આધારે પસંદગી કરવા પર ભાર મૂકયો હતો. જેને ધ્યાને લઈ પર્સોનેલ અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટે વ્યાપક કવાયત હાથ ધરી ત્રણ મહિનામાં 1 જાન્યુઆરી, 2016 થી કેન્દ્ર સરકારમાં ભરતી માટે ઈન્ટરવ્યૂ પ્રથાને બંધ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હતી.
જીતેન્દ્રસિંહે ઉમેર્યુ કે આ મામલે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજયો નિયમને લાગુ કરવા તત્પર હતા તો કેટલાક રાજયો ઈચ્છુક ન હતા.રાજય સરકારો સાથે સમજાવટ અને વારંવાર રિમાઈન્ડરને પગલે જમ્મુ કાશ્મીર અને લદાખ સહિત ભારતના તમામ કેન્દ્ર શાસિત પ્રદેશો અને દેશના ર8માંથી ર3 રાજયોમાં સરકારી ભરતીમાં ઈન્ટરવ્યૂ પ્રજા બંધ કરાઈ છે. ભરતીમાં લેખિત પરીક્ષાને આધાર બનાવવાથી દરેક ઉમેદવારને સમાન તકો ઉપલબ્ધ થાય છે. પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા વધતાં સરકારી તિજોરીને આર્થિક લાભ થયાનું અનેક રાજયોએ કહ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


