પંજાબમાં નિહંગ શીખો પાસે કર્ફ્યુ પાસ માગતા પોલીસ અધિકારીનો હાથ કાપી નાંખ્યો

પંજાબના પટિયાલા જિલ્લામાં શાકમાર્કેટમાં કર્ફ્યૂ પાસ માગતા તલવારથી એક પોલીસ અધિકારીનો હાથ કાપ્યો અને અન્ય બેને ઘાયલ કરીને ગુરુદ્વારામાં સંતાયેલા સાત જણની ધરપકડ કરી હોવાની વાત પોલીસે જણાવી હતી.
પોલીસે આ મામલે પાંચ હુમલાખોર સહિત સાત વ્યક્તિની ધરપકડ કરી હતી. હુમલો કર્યા બાદ તેઓ ગુરુદ્વારામાં છુપાયા હતા અને ત્યાંથી એમણે પોલીસ પર ગોળીબાર પણ કર્યો હતો.
આ મામલે પોલીસ સાથે થયેલી અથડામણમાં પકડાયેલો એક આરોપી પોલીસની ગોળીથી ઘાયલ થયો હતો.
આ કિસ્સાના વહેતા થયેલા વીડિયોમાં એએસઆઇ હરજીતસિંહ મદદ માગતો, એક વ્યક્તિ એનો કપાયેલો હાથ ઉંચકતો અને ઘાયલ હરજીતને મોટરસાઇકલ પર લઇ જવાતો દેખાયા હતા.
એએસઆઇને પહેલા રાજેન્દ્ર હૉસ્પિટલમાં અને ત્યાર બાદ ચંડીગઢની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોરોના વાઇરસને લીધે સવર્ત્ર લૉકડાઉન ચાલી રહ્યું હોવાથી જથ્થાબંધ શાકમાર્કેટની બહાર કોઇ પ્રવેશી ન શકે એ માટે આડશો લગાવવામાં આવી હતી.
એક વાહનમાં આવેલા નિહંગો (હથિયારધારી શીખ)ના વાહનને અટકાવીને પાસ માગવામાં આવ્યો ત્યારે એમણે વાહનને માર્કેટના દરવાજા અને આડશ સાથે અથડાવ્યું હતું. ત્યાર બાદ એમણે પોલીસો પર હુમલો કર્યો હતો અને ગુરુદ્વારા ખિચડી સાહિબમાં ઘૂસી ગયા હતા.
પોલીસે ત્યાંથી ત્રણ પિસ્તોલ, પેટ્રોલ બૉમ્બ, તલવારો, એલપીજી સિલિંડર અને ગાંજાનો કોથળો જપ્ત કર્યો હતો. પોલીસ અને ગામના સરપંચ સહિત અનેક લોકોએ એમને બહાર આવવા સમજાવ્યા હતા, પણ એમણે સિલિંડર સળગાવીને ગુરુદ્વારામાં આગ લગાવવાની ધમકી આપી હતી અને ગોળીબાર કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
