આજે (15/3) પૂરી થાય છે રાત્રી કર્ફ્યુની મુદત : સુરત સમેત મહાનગરો માટે રાત્રી કફર્યૂ સમેતની ગાઇડલાઇન્સ આજે જાહેર થશે
એક તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ એકાએક કોરોનાના કેસો વધી ગયા છે અને સાથોસાથ આજે તા.૧૫મી માર્ચે જ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની વર્તમાન મુદત પૂરી થઇ રહી છે. આજે સાંજ સુધીમાં એવી જાહેરાત સરકાર તરફથી શક્ય છે કે, સુરત સમેત રાજ્યના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ લંબાવવા ઉપરાંત અનેક આકરાં નિયંત્રણો લાગૂ કરવામાંં આવશે.

રાજ્યમાં હાલ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ 12થી સવારના 6 વાગ્યા સુધી અમલી છે જેની અવધિ આજે 15મી માર્ચના રોજ પૂર્ણ થાય છે.
વિતેલા સપ્તાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કોર કમિટીની બેઠક યોજી હતી અને તેમાં કોરોના વધતા જતા કેસો સંદર્ભેની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે સૂચનાઓ આપી હતી. આજે ફરી બેઠક યોજી કર્ફ્યૂ અંગે નિર્ણય લઈ જાહેર કરાય તેવી શક્યતા છે.
સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાત્રીના જે રેસ્ટોરાં કે પછી હોટેલોમાં વધુ લોકો એકઠા થતા હોય અને નિયમોનો ભંગ થયો હોય તો હોટેલ અને રેસ્ટોરાંને બંધ કરાવવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


