ટૉલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા NHAI માર્ગદર્શિકા જારી

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 26/5/21 બુધવારે જણાવ્યું હતું કે ટૉલપ્લાઝા ખાતે વાહનોએ પીક અવર્સદરમિયાન વાહન દીઠ ૧૦ સેક્ધડથી વધુ સમય રાહ ના જોવી પડે એ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
એનએચએઆઇએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને કારણે વાહનોનો પ્રવાહ સરળ અને સુલભ બનશે.
ફાસ્ટૅગ સિસ્ટમના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશના ટૉલપ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હવે ભૂતકાળનો વિષય બની ગઇ છે, એની નોંધ કરતા એનએચએઆઇએ જણાવ્યું હતું કે જો કોઇ પણ કારણસર ટૉલબુથથી ૧૦૦ મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન હોય તો જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરથી ઓછી ના થાય ત્યાં સુધી વાહનોને ટૉલ ભર્યા વિના જવા દેવામાં આવશે.
આ માટે ટૉલબુથ પર ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, જે જોઇને ટૉલપ્લાઝા ઑપરેટરોને તેમની જવાબદારીનું ભાન થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
