CIA ALERT

NEP : વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કાર્યવાહીથી એડવાન્ટેજ વિદ્યાર્થીઓને

Share On :

ગુજરાત રાજ્યની 31 સરકારી યુનિવર્સિટીઓ હવે અધિકારમંડળોની મિટીંગો યોજીને નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે ઠરાવો કરાવશે, આ પ્રોસિજર વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દેવાયો છે. આમ વીર નર્મદ યુનિ.ની એડવાન્સ કામગીરીનો એડવાન્ટેજ વિદ્યાર્થીઓને મળવાનો શરૂ થઇ ગયો છે

વીર નર્મદ યુનિવર્સિટીનો રેફરન્સ સરકાર કક્ષાએ સકારાત્મક લેવાયો છે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં dated 21/10/21 ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સિટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટેની તમામ પૂર્વતૈયારીઓ જેમાં જેતે અધિકારમંડળોમાં ઠરાવો કરાવવાથી લઇને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિઝર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઇ યુનિવર્સિટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે.

રાજ્ય સરકારે આજે એન.ઇ.પી.ના અમલ માટે જે લેસન સોંપ્યુ છે તે પૈકી 80 ટકા લેસન વીર નર્મદ યુનિવર્સિટીએ પૂર્ણ કરી દીધું છે.ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાગાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો.ડિંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓની એક મિટીંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આ મિટીંગનો ઉદ્દેશ યુનિવર્સિટીઓને નેશનલ એજ્યુકેશન પોલિસી (એન.ઇ.પી.)ના અમલ માટે શોર્ટ ટર્મ, મિડીયમ ટર્મ અને લોંગ ટર્મના કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સિટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો આશય હતો.સમગ્ર રાજ્યમાં વીર નર્મદ યુનિવર્સિટી એકમાત્ર છે જેણે નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. એ બાબતની નોંધ મિટીંગમાં લેવામાં આવી કે વીર નર્મદ યુનિવર્સિટીએ એન.ઇ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકારમંડળ ખાસ સેનેટની અસાધારણ સભા યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કરાવ્યા હતા. જેની ફળશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે તેનો અમલ વીર નર્મદ યુનિવર્સિટીએ એડવાન્સમાં કરાવી દીધો છે.

વીર નર્મદ યુનિ.એ આ કામગીરી શરૂ પણ કરી દીધી

  • ડિગ્રી કોર્સમાં મલ્ટી લેવલ એક્ઝિટ પોલિસ-
  • દરેક અભ્યાસક્રમમાં ક્રેડિટ ટ્રાન્સફર પોલિસી-
  • કોઇપણ અભ્યાસક્રમમાં મલ્ટી લેવલ એન્ટ્રી-
  • 4 વર્ષના ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ-
  • એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનો અમલ શરૂ-
  • ઓન ડિમાંડ એકઝામ પોલીસી-
  • મલ્ટિ ડિસીપ્લિનરી સર્ટિફિકેશન અને ડિપ્લોમા-
  • મલ્ટિ ડિસીપ્લિનરી રેગ્યુલેટરી ઓથોરિટી-
  • ડ્યુઅલ ડિગ્રી, ડ્યુઅલ સર્ટિફિકેશન ફેસેલિટી-
  • ઓનલાઇન કોર્સ ડેવલપમેન્ટ સ્ટુડીયો

દરેકના સહયોગથી NEPનો અમલ શક્ય

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ કર્યા બાદ વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે આજે વીર નર્મદ યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલ કરી શકી છે તેનું કારણ યુનિવર્સિટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકારમંડળોના સભ્યો, સેનેટ, સિન્ડીકેટ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ ભારે મહેનત કરીને તમામ ઠરાવોનું ડ્રાફિટ્ંગથી લઇને તેમાં સુધારા વધારાઓ કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યારે આજે વીર નર્મદ યુનિવર્સિટી શ્રેય લઇ શકી છે કે એન.ઇ.પી.નો અમલ શરૂ કરી દેનાર રાજ્યની એક માત્ર યુનિવર્સિટી બની છે વીર નર્મદ યુનિવર્સિટી.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :