આજથી નવરાત્રિનો પ્રારંભ : લૉકડાઉન બાદ પહેલીવાર બજારોમાં ચેતનવંતો સંચાર
આજથી જગત જનની મા જગદંબાના નવરાત્રિ પર્વનો દીવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે પ્રાચિન ગરબી કે અર્વાચીન રાસોત્સવ યોજાશે નહિ. માત્ર એક કલાક પૂજા-અર્ચના-આરતી કરી શકાશે.
સૌ કોઇ ઘરમેળે માની પૂજા અર્ચના કરશે. નવધા ભક્તિ કરતાં માના ગુણગાન ગાશે. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરશે. શહેરમાં વિવિધ વિસ્તારમાં માના નોરતા પહેલા ગરબાની ધૂમ ખરીદી થઇ હતી. સાથોસાથ માતાજીની ચૂંદડી દરરોજ વિવિધ વાનગીની પ્રસાદીની પણ ભાવિકોએ કરી હતી.
માતાજીના વસ્ત્ર, અલંકાર, હાર વગેરે ખરીદતા લોકો જોવા મળ્યા હતા. માતાજીના પર્વને વધાવવા માટે માતાજીના મંદિરોમાં લાઈટીંગ, ડેકોરેશન સહિતના શણગાર કરાયા હતા. જો કે દર્શનાર્થીઓ માત્ર દર્શન કરી શકશે. કોઇપણ સ્થળે રાસોત્સવ, ગરબી યોજાવાના નથી. શહેરમાં માના નોરતાને વધાવવા થનગનાટ છે. માની ભક્તિમાં ભાવિકો લીન થતા માતાજીને કાલાવાલા કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


